Democratic Azad Party: ગુલામ નબી આઝાદની ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (ડીએપી)ને મોટો ઝટકો લાગ્યો છે. 126 કાર્યકરોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. જેમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદનો સમાવેશ થાય છે. આ લોકોનું કહેવું છે કે ગુલામ નબી આઝાદની આસપાસ લોકોનું એક જૂથ છે, જે પાર્ટીને નુકસાન પહોંચાડવા માંગે છે.
તારા ચંદે કહ્યું, “આજે 126 લોકોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. અમે પાર્ટી માટે કામ કરી રહ્યા હતા, પરંતુ ગુલામ નબી આઝાદની આસપાસ એક જૂથ છે જે પાર્ટીને ખતમ કરવા માંગે છે અને તેમને ખોટી માહિતી આપી રહ્યું છે. પૂર્વ મંત્રી મનોહર લાલ શર્મા અને પૂર્વ ધારાસભ્ય બલવાન સિંહ સાથે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યાના બે દિવસ બાદ તારા ચંદે રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું, “ગુલામ નબી આઝાદના સમર્થનમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપવું એક ભૂલ હતી. DAP ના 100 થી વધુ હોદ્દેદારો અને સ્થાપક સભ્યોએ ત્રણ નેતાઓના સમર્થનમાં પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી, જેમણે તેમની આગામી કાર્યવાહી અંગે નિર્ણય લેતા પહેલા લોકો સુધી પહોંચવાનો નિર્ણય કર્યો.
ઉલ્લેખનીય છે કે જ્યારે નવી પાર્ટી ગુલામ નબી આઝાદે બનાવી ત્યારે વિભાગીય સમિતિઓ અને ઝોનલ સમિતિઓમાં વરિષ્ઠ નેતાઓને સંબંધિત વિસ્તારના નેતાઓ સાથે ગોઠવી શકાય છે. આઝાદની આગેવાની હેઠળની ડેમોક્રેટિક આઝાદ પાર્ટીમાં મોટાભાગના નેતાઓ એવા છે જેમણે કોંગ્રેસ છોડી દીધી છે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારાચંદ, પૂર્વ મંત્રી જીએમ સરૂરી, જુગલ કિશોર, મનોહર લાલ શર્મા, અબ્દુલ મજીદ વાની, બલવાન સિંહ, અશોક શર્મા વગેરેનો સમાવેશ થાય છે. જમ્મુ વિભાગમાં ત્રણેય ઝોનલ સમિતિઓ મહત્વપૂર્ણ છે, જેમાં જમ્મુ, ચિનાબ વેલી અને પીર પંચાલ સમિતિઓનો સમાવેશ થાય છે. પીર પંચાલમાં રાજૌરી અને પુંછ જિલ્લાનો સમાવેશ થશે. ચિનાબ ખીણમાં રામબન, કિશ્તવાડ, ડોડા, રિયાસીનો સમાવેશ થશે. જમ્મુમાં જમ્મુ, સાંબા, ઉધમપુર અને કઠુઆનો સમાવેશ થશે.
નોંધનીય છે કે જે લોકો કોંગ્રેસ પાર્ટીને છોડીને આવ્યા હતા તે ગુલામનબીની પાર્ટીમાં સામેલ થાય હતા પણ આજે જે લોકો સામેલ થયા હતા તે લોકોમાંથી 126 લોકોએ પાર્ટીને અલવિદા કહી દીધું છે.
