કુલગામ: જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે Kashmir-Encounter આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન ઘાયલ થયેલા ત્રણ સૈન્ય જવાનોએ તેમની ઇજાઓના પગલે અંતિમ શ્વાસ લીધા હતા., એમ અધિકારીઓએ જણાવ્યું હતું. લશ્કરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ત્રણ ઇજાગ્રસ્ત જવાનોનું તેમની ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. સર્ચ ઓપરેશન ચાલુ છે.” જમ્મુ-કાશ્મીર પોલીસે શુક્રવારે માહિતી આપી હતી કે, જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
દિવસની શરૂઆતમાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે અથડામણ Kashmir-Encounter કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારની ઊંચી કરાડમાં થઈ હતી. “સેના અને કુલગામ પોલીસ ઓપરેશન હાથ ધરી રહી છે. ત્રણ જવાન ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,” એક અધિકારીએ અગાઉ જણાવ્યું હતું. અગાઉ, શુક્રવારે, કાશ્મીર ઝોન પોલીસે માહિતી આપી હતી કે કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારમાં એન્કાઉન્ટર ફાટી નીકળ્યું હતું, તેમણે ઉમેર્યું હતું કે આર્મી અને કુલગામ પોલીસ બંનેએ આ વિસ્તારમાં તપાસ અભિયાન આદર્યુ છે.
#UPDATE | The three injured jawans have succumbed to their injuries. Search operations are continuing: Indian Army https://t.co/8pCE8Qiuxm
— ANI (@ANI) August 4, 2023
લશ્કર અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
ગઈકાલે આર્મીના ચિનાર કોરે ટ્વીટ કરીને ઓપરેશન હાલન કુલગામ Kashmir-Encounter વિશે માહિતી આપી હતી. બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ કુલગામના હાલાનના ઊંચા વિસ્તારમાં આતંકવાદીઓની શોધખોળ માટે ઓપરેશન શરૂ કર્યું હતું. જે દરમિયાન સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ત્રણ જવાન ઘાયલ થયા હતા અને બાદમાં શહીદ થયા હતા.
શ્રીનગર પોલીસે ગઈકાલે જ ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી
શ્રીનગર પોલીસે ગઈકાલે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને Kashmir-Encounter ટીઆરએફના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ ત્રણ આતંકવાદીઓની શ્રીનગરના નાટીપોરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે માહિતીના આધારે મોટી કાર્યવાહી કરી અને હરનાબલ નાતીપોર વિસ્તારમાં નાની ટીમ તૈનાત કરી. આ દરમિયાન પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા ત્રણેય આતંકવાદીઓને એક ચોકી પરથી પકડી પાડ્યા હતા. આ આતંકવાદીઓની ઓળખ ઈમરાન અહમદ નઝર, વસીમ અહમદ મુત્તા, વકીલ અહમદ ભટ્ટ તરીકે થઈ હતી.
આ પણ વાંચોઃ Political/ વિપક્ષી ગઠબંધન INDIAની ત્રીજી બેઠક આ તારીખે થશે,સંયોજકની કરવામાં આવશે જાહેરાત!
આ પણ વાંચોઃ Political/ મધ્યપ્રદેશમાં કોંગ્રેસનું હિન્દુત્વ કાર્ડ, કમલનાથ કરશે બાબા બાગેશ્વરની રામકથાનું આયોજન
આ પણ વાંચોઃ વિવાદાસ્પદ નિવેદન/ સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી સનાતન પર ઉઠાવ્યા સવાલ, હિન્દુ ધર્મ નથી!
આ પણ વાંચોઃ જાહેરાત/ આયર્લેન્ડે ભારત સામેની T20 સીરીઝ માટે ટીમની કરી જાહેરાત,આ ખેલાડીને સોંપાઇ ટીમની કમાન
આ પણ વાંચોઃ મુલાકાત/ ‘સુપ્રીમ’ રાહત બાદ રાહુલ ગાંધી RJDના અધ્યક્ષ લાલુ યાદવને મળવા પહોંચ્યા, મીસા ભારતીના નિવાસસ્થાને બેઠક
