Junagadh News: જૂનાગઢમાં આજે વહેલી સવારે ગેસ પાઈપલાઈનમાં ભયંકર આગ લાગતા 3 લોકોના મોત નિપજ્યા છે, 5 લોકો ઘાયલ થયા છે. આગ ફાટી નીકળતા લોકો ઘટનાસ્થળે પહોંચી ફાયરબ્રિગેડને જાણ કરી હતી. પોલીસે દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે. આગમાં માતા-પુત્રીનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. પિતા ગંભીર રીતે દાઝી જવાથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા રોડ પર અનધિકૃત JCB દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે જેસીબી ગેસ લાઈનને અડતાં ભડકો થયો હતો. 5 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે.
આ પણ વાંચો:Operation Sindoor Live: PM મોદીએ 3 દેશોનો પ્રવાસ સ્થગિત કર્યો
આ પણ વાંચો:Operation Sindoor: સેનાની મહિલા અધિકારીઓએ નિભાવી મહત્વની ભૂમિકા
આ પણ વાંચો:Operation Sindoor: સેના, એરફોર્સ અને વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ
