પદ્માવતીની લઇ ને રાજકીય વિવાદો વધતો જ જાય છે, આં વચ્ચે ફિલ્માં નિર્દેશક સંજય લીલા ભણસાલીને ધમકીઓ મળી રહી છે. જેને ધ્યાનમાં રાખી પોલીસે તેમને સુરક્ષા ઉપલબ્ધ કરી છે, લગભગ ૧૫-૧૬ પોલીસકર્મીઓ ભણશાલીની ઓફીસના બહાર સુરક્ષા માટે હાજર રહેશે. 24કલાક આ સુરક્ષા ભણસાલીને ઉપલબ્ધ રહેશે.

ગુજરાત પ્રદેશ બીજેપી અધ્યક્ષ આઈકે જાડેજાએ મીડિયાને કહ્યું હતું કે, ૧૫-૧૬ જીલ્લામાં રાજપૂત સમાજના લોકોએ આ ફિલ્મને બૈન લગાવાની માંગ કરી છે. તેમણું માનવું છે કે, પદ્માવતીના ઈતિહાસ સાથે ભણસાલીએ છેડછાડ કરી છે તેઓ આરોપ લાગ્યો છે. જેના લીધે કેટલાક સંગઠનએ તેમણે ચેતવણી આપી છે.
રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ પદ્માવતીના વિરૂદ્ધમાં રાજપુત કરણી સેના ચિત્તોડગઢમાં બહુ જ વિરોધ થઈ રહ્યો છે. આ કારણોથી ફિલ્મના અંદાજે ૧૬૦ કરોડનો વીમો ઉતાર્યો છે. વીમા પોલિસી અંતગર્ત જો ફિલ્મની ટીકીટ વેચવા દરમિયાન જો કોઈ પણ પ્રકારનો વિરોધ કે ઝઘડો થાય છે, તો તેનું વળતર કંપની આપશે.
