Not Set/ કોંગ્રેસ પર શંકરસિંહે કરી તોફાની બેટિંગ, કોંગ્રેસને કર્યું બાય બાય

કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાના જન્મ દિવસે ગાંધીનગર ટાઉનહોલમાં સમ સંવેદના સંમેલન મળ્યું છે.જ્યાં મોટી સંખ્યામાં બાપુના સમર્થકો કાર્યક્રમ સ્થળે ઉમટી પડ્યા છે. સંમેલનમાં બાહુબલીના સોંગ પર શંકરસિંહે તલવાર સાથે એન્ટ્રી મારી હતી. શંકરસિંહ વાઘેલા પોતાની જૂની રાજનીતિ મુજબ શક્તિ પ્રદર્શન કરીને કોંગ્રેસ સહિત ગુજરાતના રાજકીય પક્ષોને પોતાની તાકાત બતાવી.શંકરસિંહનું સંબોધન આપતા જણાવ્યું હતું કે, પાર્ટીએ […]

India

કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાના જન્મ દિવસે ગાંધીનગર ટાઉનહોલમાં સમ સંવેદના સંમેલન મળ્યું છે.જ્યાં મોટી સંખ્યામાં બાપુના સમર્થકો કાર્યક્રમ સ્થળે ઉમટી પડ્યા છે. સંમેલનમાં બાહુબલીના સોંગ પર શંકરસિંહે તલવાર સાથે એન્ટ્રી મારી હતી. શંકરસિંહ વાઘેલા પોતાની જૂની રાજનીતિ મુજબ શક્તિ પ્રદર્શન કરીને કોંગ્રેસ સહિત ગુજરાતના રાજકીય પક્ષોને પોતાની તાકાત બતાવી.શંકરસિંહનું સંબોધન આપતા જણાવ્યું હતું કે, પાર્ટીએ મને 24 કલાક પહેલાં જ કાઢી નાખ્યો છે. શું થાય વિનાસકાળે વિપરતી બુદ્ધિ.મને સહકાર આપનાર તમામનો આભાર માનું છું…આઝાદી પહેલાં દેશ ગુલામ હતો ત્યારે હું જમ્યો.કોમન મેન ક્યા છે, હું શોધુ છું, ડેમોક્રેસી ક્યા છે.મારુ નામ ભગવાન શંકરના નામે પડ્યું છે..વધુમાં જણાવ્યું હતું કે, રાજકારણમાં આનંદીબેનને હું લાવ્યો હતો.હવે નેતાઓમાં પબ્લિસિટી જ રહી છે, જાહેરાતો માટે કરોડો ખર્ચાય છે.