આજે દેશને તેના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે એેમ. વેંકૈયા નાયડૂ મળ્યા છે. શપથ પહેલાં તેઓ રાજઘાટ જઇને મહાત્મા ગાંધીની સમાધી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. દિલ્હી ખાતે વેંકૈયા નાયડૂએ આજે શપથ ગ્રહણ કર્યા છે. નવા નિયુક્ત થયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉપરાષ્ટ્રપતિ તરીકે નાયડૂને શપથ ગ્રહણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, વેંકૈયા નાયડૂએ હિંદીમાં શપથ લીધા હતા, તે પછી નાયડૂ રાજ્યસભામાં સભાપતિ તરીકે પદ સંભાળશે અને ઉપરાષ્ટ્રપતિ તરીકે પહેલી ભાષણ આપશે. ઉલ્લેખનીય છે કે વેંકૈયા નાયડૂ ભારતના 13માં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. શપથ વિધિ પહેલા વેંકૈયા નાયડૂએ પટેલ ચોક પહોંચીને સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.
સાથે જ તેમણે ડીડીયૂ પાર્ક પહોચી દીન દયાલ ઉપાધ્યાયને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. વેંકૈયા નાયડૂના આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ સમેત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી.