ઉત્તર પૂર્વીય ત્રણ રાજ્યોમાં ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ચૂંટણીના પરિણામ પર બીજેપીના અધ્યસ અમિત શાહ જણાવ્યું કે આ જીતે નરેન્દ્ર મોદીના વિકાસની નીતિ પર મોહર લગાવવાનું કાર્ય કર્યું છે. ત્રણ રાજ્યો માંથી બે રાજ્યોમાં બીજેપી સરકાર બનવા જઈ રહી છે.
મેઘાલયમાં કોંગ્રેસને બહુમતી મળી નથી જે ધારાસભ્ય ટેકો આપશે તેની જ સરકાર બનશે. મેઘાલયમાં માત્ર બીજેપીએ ૨ સીટો પર જીત મેળવી છે ત્યારે કોંગ્રેસે ૨૧ સીટો પર જીત મેળવી છે. જયારે બીજા નંબર પર એનપીપી છે.આ ના સિવાઈ ૧૭ સીટો પર અન્યએ જીત મેળવી છે. તો આટલામાં સત્તાની ચાવી અન્યને કે એનપીપીના હાથોમાં છે. શાહ કહે છે કે મેઘાલયની જનનાદેશ કોંગ્રેસ સામે આવે છે રાજયમાં એનડીએની પાર્ટીને ઘણો જ ફાયદો થયો
શાહએ સીધી રીતે સંકેત આપ્યો કે મેઘાલયમાં એનડીએને જે રીતે લાભ મળ્યો અને કોંગ્રેસ સામે જનતા છે જેમ કે, માનવામાં આવે છે કે બીજેપીએ મેઘાલયમાં કોંગ્રેસને સત્તાથી દૂર કરવાની અને એનપીપી અને બિનસાંપ્રદાયિક ધારાસભ્યો સાથે સરકારી નિર્માણની દિશામાં વધારો થઇ શકે છે. ગૌરતલબ છે કે ગયા વર્ષે મણિપુર અને ગોવામાં બીજેપીએ ઓછી બેઠકો પ્રાપ્ત કરી હતી પણ સરકાર બનાવી રહી છે. જ્યારે કોંગ્રેસ બન્ને જગ્યાએ સરકાર બનાવવામાં સફળ રહી છે.
