Not Set/ કર્ણાટક ચૂંટણી : દાવા-પ્રતિદાવા વચ્ચે સિદ્ધારામૈયાએ ૧૨૦ જયારે યેદિયુરપ્પાએ ૧૫૦થી વધુ બેઠક મળવાનો કર્યો દાવો

બેંગલુરુ, કર્ણાટકમાં હાલમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો પોતાની પસંદના ઉમેદવારને વિજેતા બનાવવા માટે મતદાન કેન્દ્ર પહોંચી રહ્યા છે. દરેક પાર્ટીઓએ પોત-પોતાની સરકાર બનાવવાના અને બહુમત મળવાના દાવા-પ્રતિદાવાઓ કરવામાં આવ્યા છે. એક તરફ જ્યાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ નેતાઓની વચ્ચે જુબાની જંગ પણ ખેલાઈ રહ્યો છે. વર્તમાન […]

Top Stories India

બેંગલુરુ,

કર્ણાટકમાં હાલમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો પોતાની પસંદના ઉમેદવારને વિજેતા બનાવવા માટે મતદાન કેન્દ્ર પહોંચી રહ્યા છે. દરેક પાર્ટીઓએ પોત-પોતાની સરકાર બનાવવાના અને બહુમત મળવાના દાવા-પ્રતિદાવાઓ કરવામાં આવ્યા છે.

એક તરફ જ્યાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ નેતાઓની વચ્ચે જુબાની જંગ પણ ખેલાઈ રહ્યો છે. વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી.એસ. યેદિયુરપ્પાને માનસિક રીતે અસ્થિર ગણાવ્યા છે. તેમને ફરી એક વખત ભાજપ અને જેડીએસ વચ્ચે ગઠબંધન થવાની વાતને દોહરાવી હતી.

ભાજપ ખુલ્લેઆમ જેડીએસનું સમર્થન કરી રહ્યું છે : સિદ્ધારામૈયા

સિદ્ધારામૈયાએ ચામુંડેશ્વરી વિધાનસભા સીટને લઈને કહ્યું હતું કે, “જેડીએસએ લોકોને ઘણા બધા પૈસાનું વિતરણ કર્યું છે. તેમના ઉમેદવાર કહી રહ્યા છે કે તેઓ સમાજના રખવાળા છે. તેમની પાસે આખરે આટલાં બધાં પૈસા ક્યાંથી આવી રહ્યાં છે? સાથે જ ભાજપ ખુલ્લેઆમ જેડીએસનું સમર્થન કરી રહ્યું છે. તેમણે અહિયાં એક ડમી ઉમેદવારને ઉભો રાખ્યો છે.’

સિદ્ધારામૈયાએ કોંગ્રેસને ૧૨૦ બેઠક મળવાનો કર્યો દાવો

મૈસુરમાં મત આપ્યા પછી સિદ્ધારામૈયાએ કહ્યું હતું કે, “અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી પૂર્ણ બહુમતની સાથે ફરીથી સત્તામાં આવશે. યેદિયુરપ્પા માનસિક રીતે અસ્થિર છે. કોંગ્રેસને ૧૨૦ કરતા વધુ બેઠકો મળશે”.

યેદિયુરપ્પાએ કહ્યું ભાજપને મળશે ૧૫૦થી વધુ બેઠક

ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પાએ મતદાન શરુ થતા અગાઉ જ પોતાના ઘરે પૂજા કરી હતી. ત્યાર બાદ તેઓ શિકારપુરમાં એક મંદિરમાં ગયા હતા અને ત્યાં પણ તેમને પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું.

તેઓએ કહ્યું હતું કે, “કર્ણાટકની જનતા સિદ્ધારામૈયા સરકારથી પરેશાન થઇ ગઈ છે. અમે ૧૫૦થી વધુ બેઠકો જીતીશું અને સરકાર બનાવીશું. તેમણે લોકોને અપીલ કરી હતી કે, લોકતંત્રના આ ખાસ દિવસે પોતાના ઘરમાંથી બહાર આવો અને ભાજપની માટે મતદાન કરો”.

JDSએ કહ્યું, અમે જાદુઈ આંકડો પાર કરીશું

કર્ણાટકની સત્તા પર કબજો મેળવવા માટે પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાની પાર્ટી જનતાદળ સેક્યુલર (જેડીએસ) પણ મેદાનમાં છે. હસન જિલ્લાના હોલેનરસિરપુરા શહેરના પોલીંગ બુથ નંબર ૨૪૪માં પરિવાર સહિત મતદાન કરવા માટે આવેલા પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવેગૌડાએ કહ્યું હતું કે, “અમને સરકાર બનાવવાની અપેક્ષા છે. અમે સારું કામ કર્યું છે”.

જયારે તેમના પુત્ર અને પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર કુમારસ્વામીએ પોતાની પત્ની અનીતાની સાથે મત આપ્યો હતો અને કહ્યું હતું કે, “અમને પૂરો વિશ્વાસ છે કે જેડીએસ પોતાની તાકાત ઉપર જાદુઈ આંકડો પર કરી લેશે”.