પાકિસ્તાનમાં એક TV ટોક શો દરમિયાન પાકિસ્તાનના મંત્રી દાનીયાલ અજીજને ઇમરાન ખાનની નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના વરિષ્ઠ નેતાએ લોકો માર્યો હતો. મંગળવારે પીટીઆઈના નેતા નઈમૂલ હક અને મંત્રી દાનીયાલ અજીજ પાકિસ્તાનના જીઓ ન્યુઝ પર ‘આપસ કી બાત’ કાર્યક્રમમાં ભાગ લઇ હર્યા હતાં.
આ દરમિયાન અજીજને આક્રમક રૂપથી નઈમૂલને સંબોધતા કહ્યું કે શું તમારા જેવા ચોરોથી હું ડરું છું? અજીજને ચોર કહેવા પર નઈમૂલ ઉશ્કેરાઈ ગયો અને તેમને લાફો માર્યો હતો. થપ્પડ ખાધા બાદ પણ અજીજ શાંત ન રહ્યા અને તેમણે કહ્યું ‘મને થપ્પડ મારવાની હિમ્મત કેવી રીતે થઇ’ હકે કીધું તમે મને ચોર કહેવાની હિમ્મત કેવી રીતે કરી’.
https://youtu.be/j6raFibVpyU
વર્ષ 2011માં એક ટીવી શો દરમિયાન તેમણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા જમીલ સૂમરો પર પાણીથી ભરેલો ગ્લાસ ફેંક્યો હતો.
