Not Set/ પંચતત્વમાં વિલીન થયા પૂર્વ વડાપ્રધાન, હંમેશા રહેશે અટલ

નવી દિલ્હી, ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે ૯૩ વર્ષની વયે નિધન થયું હતું. એક પ્રખર રાજનેતાની સાથે કવિ એવા અટલ બિહારી વાજપેયીએ રાજધાની દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. #WATCH live from Delhi: Last rites ceremony of former Prime Minister #AtalBihariVajpayee at Smriti Sthal https://t.co/HbeppXjsPz — ANI (@ANI) August 17, 2018 Former prime […]

Top Stories India Trending

નવી દિલ્હી,

ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે ૯૩ વર્ષની વયે નિધન થયું હતું. એક પ્રખર રાજનેતાની સાથે કવિ એવા અટલ બિહારી વાજપેયીએ રાજધાની દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ગુરુવાર રાત્રે ૯ વાગ્યે તેઓના પાર્થિવ શરીરને તેઓના કૃષ્ણા મેનન માર્ગ સ્થિત નિવાસ સ્થાને લાવ્યા બાદ અંતિમ દર્શન માટે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે તિરંગમાં લપેટવામાં આવેલો અટલજીનો પાર્થિવદેહ સ્મૃતિ સ્થળ પહોચ્યો છે. ત્યારબાદ તેઓના તમામ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરુ થઇ છે અને ત્યારબાદ મુખાગ્નિ આપવામાં આવી છે. આ સાથે જ તેમનો દેહ પંચતત્વમાં વિલીન થયો છે.

અટલ બિહારી વાજપેયીનો પાર્થિવદેહ સ્મૃતિ સ્થળ પર પહોચ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ-રાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુ, ભાજપના વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણી, પીએમ મોદી, રક્ષામંત્રી નિર્મલા સીતારમણ સહિતના અનેક નેતાઓએ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ દરમિયાન સ્મૃતિ સ્થળ પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના વરિષ્ટ નેતા મુરલીમનોહર જોશી, તમામ કેન્દ્રીયમંત્રી, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ, ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, અશોક ગેહલોત અને રાજ ગબ્બર સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા છે.

દેશભરમાં એક પ્રખર રાજનેતા એવા અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કારમાં લાખો લોકો ઉમટ્યા છે. લાખો લોકોના દિલ પર રાજ કરનારા અટલજીની અંતિમયાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે અંતિમયાત્રામાં જોડાયા છે. સાથે સાથે સરકારના તમામ કેન્દ્રીયમંત્રીઓ તેમજ મુખ્યમંત્રીઓ પણ આ અંતિમયાત્રામાં જોડાઈ રહ્યા છે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અટલજીને આવાસ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી, આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુમોહન ભાગવત, યુપી સીએમ યોગી આદિત્યનાથ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, યુપીના રાજ્યપાલ રામ નાઈક, કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, ડીએમકે નેતા એ રાજા, મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસ, છત્તીગઢ સીએમ રમન સિંહ સહિત ઘણા મોટા નેતાઓ એમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

અટલજીના નિધન પર દેશ જ નહિ, દુનિયાભરના નેતાઓ શોક સંવેદના દર્શાવી રહ્યા છે. ત્યારે આ અવસરે ભૂટાન નરેશ જીગમે ખેસર નામગેયાલ વાંગચૂક, નેપાળના વિદેશમંત્રી પિકે ગ્યવલ, શ્રીલંકાના કાર્યવાહક વિદેશ મંત્રી લક્ષ્મણ કીરિયેલા, બાંગ્લાદેશના વિદેશમંત્રી અબુલહસન મહમૂદ અનેપાકિસ્તાનના કાનૂન મંત્રી અલી ઝફર વાજપેયીમાં અંતિમ દર્શને પહોચ્યા હતા.