ટ્વીટર ઇન્ડિયાના પ્રમુખ તરણજીત સિંહે પોતાનાં હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ 2017થી આ હોદ્દા પર નિયુક્ત હતા. તરણજીતે ઘણાં બધાં ટ્વીટસ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે હવેથી ટ્વીટરના રેવેન્યુ એન્ડ ઓપરેશનના પ્રમુખ બાલાજી કૃષ્ણ કન્ટ્રી હેડ બનશે અને તેઓ યુએસથી આવી રહ્યા છે.
તરણજીતે ટ્વીટ કર્યું હતું કે, ‘કંપની સાથેના ચાર વર્ષ ખુબ જ અદભુત હતા અને મેં ટ્વીટર ઇન્ડિયાથી આગળ વધવાનું નક્કી કર્યું છે. ટ્વીટર ઇન્ડિયાના પહેલાં કર્મચારીથી લઈને કંપનીની સેલ્સ ટીમને મજબુત બનાવા સુધી અને કન્ટ્રી હેડના રૂપે કંપનીના ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપાન્સન સુધીનો સફર અદભુત રહ્યો.’
Hello everyone, after 4 amazing years, I have decided to move on from @TwitterIndia – from being one of the first @Twitter employees in #India, to building up the sales team from the ground up, to leading our expansion and investments as the India Country Director #AmazingRide pic.twitter.com/qMG4QDvL4a
— Taranjeet Singh (@taranjeet24) September 4, 2018
તરણજીત સિંહ ટ્વીટર ઇન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગના પહેલાં પ્રમુખ હતા.
ટ્વીટરના સીઇઓ જેક ડોર્સીએ ટ્વીટરની પ્રોડક્ટ મેનેજર સારા હૈદરનું ટ્વીટ શેર કર્યું છે જેમાં બે નવા ફીચર્સ જોઈ શકાય છે.હવે એ દિવસ દુર નથી જયારે તમે જાણી શકશો કે કઈ વ્યક્તિ ટ્વીટર પર ઓનલાઈન છે.
