સાસણગીર,
એશિયાટિક સિંહોના ઘર એવા સાસણગીર આ વખતે ટુરિસ્ટોથી ઉભરાયુ છે. માત્ર 13 દિવસમાં એક કરોડથી વધુની આવક થઈ છે. 75 હજારથી વધુ લોકોએ ગીરની મુલાકાત લીધી છે. આ સમયે ટુરિસ્ટોએ ગીરના સિંહોની સલામતી માટે પ્રાર્થના પણ કરી હતી.
વનવીભાગના ડીસીએફ મોહન રામે જણાવેલ કે, માત્ર 13 દીવસની વાત કરીએ તો 75 હજાર થી વધુ ટુરિસ્ટ સાસણ ગીર અભ્યારણ્ય અને દેવળીયા પાર્કની વીઝીટ કરી ચુક્યા છે, તો વનવીભાગ ને એક કરોડથી વધુની આવક થઈ છે તો હજુ પણ ભારે લોકો સાસણ આવી રહ્યા છે, ત્યારે આવક વધશે. લોકોએ મનભરી સીંહોને જોયા છે તો સાથે અનેક વન્યપ્રાણી ઓ પણ જોયા છે અને લોક અહી આવી ભારે આનંદ પામે છે.
