ભૂ માતા બ્રિગેડ મહારાષ્ટ્રની સંસ્થા છે જે સ્ત્રીઓ સાથે થતાં અન્યાય વિરુદ્ધ લડત આપે છે અને ભ્રષ્ટાચારનો પણ વિરોધ કરે છે. આ સંસ્થાનાં સ્થાપક તૃપ્તિ દેસાઈ વિવાદાસ્પદ સબરીમાલા મંદિરની મુલાકાત માટે કોચીન એરપોર્ટ પહોચી ગયાં છે. પરંતુ લોકોનો જબરદસ્ત વિરોધ છે.
Kochi: Trupti Desai, founder of Bhumata Brigade, having breakfast at Cochin International Airport as she hasn't been able to leave the airport yet due to protests being carried out against her visit to #Sabarimala Temple. #Kerala pic.twitter.com/ILDV7silTx
— ANI (@ANI) November 16, 2018
એરપોર્ટ બહાર જ એમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને કરને એમને એરપોર્ટ પર જ રોકી રાખવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ એમનો કોચી એરપોર્ટ બહાર જ વિરોધ કરવા લાગ્યા છે.
Kerala: Protesters gather outside Cochin International Airport. Trupti Desai, founder of Bhumata Brigade, has arrived at the airport from Pune. She had written to Kerala CM seeking security for her visit to #SabrimalaTemple on 17 November. pic.twitter.com/QbzdSZeyKa
— ANI (@ANI) November 16, 2018
આ બાબતે તૃપ્તિ દેસાઈનું કહેવું છે કે, જે લોકો વિરોધ કરે છે એમણે હિંસા કરવી ન જોઈએ. એકવાર અમે સબરીમાલા મંદિર નજીક પહોંચીશું પછી જોઈએ કે રાજ્ય સરકાર કઈ રીતે એમને સુરક્ષા પૂરી પાડે છે.
Won't allow Trupti Desai to go out from airport using police vehicle or other govt means.Airport taxies also won't take her.If she wants,she can use her own vehicle.There will be agitations all along her way even if she goes out from airport: MN Gopi, BJP, outside Cochin airport pic.twitter.com/sRoT0kZtUj
— ANI (@ANI) November 16, 2018
એમને મારી નાખવાની ધમકીઓ પણ મળી છે તે છતાં તેઓ સબરીમાલા મંદિર જવા માટે નીકળી પડ્યા છે. જયારે આ સંબંધે બીજેપીનાં એમ એન ગોપીએ કહ્યું કે, અમે એમને એરપોર્ટથી બહાર જવા નહી દઈએ. એરપોર્ટ પર જે ટેક્સી વાળા છે અથવા જે પોલીસની ગાડીઓ છે એમાં પણ જવા નહી દઈએ. જો એ જવા માંગતા હોય તો પોતાનાં વાહનનો ઉપયોગ કરી શકે છે.
