મુંબઇ,
છેલ્લા થોડા દિવસથી પ્રિયંકા ચોપરા અને તેમના મંગેતર નિક જોનસ રાજધાની નવી દિલ્હીમાં હાજર હતા. પ્રિયંકા દિલ્હીમાં તેમની મૂવી ‘ધ સ્કાય ઇઝ પિંક’નું શૂટિંગ કરી રહી હતી. એવું કહેવાય છે કે નિક જોનસ દિલ્હી આવ્યા હતા જેથી તેઓ પ્રિયંકા સાથેના લગ્ન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપી શકે.

મીડિયાના અહેવાલ મુજબ હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે રિયલમાં પ્રિયંકા અને નિક, પીએમ મોદીને મળ્યા છે કે નહીં, પરંતુ લગ્નમાં આવવા માટે વિશેષ સંદેશ સાથે ઇન્વિટેશન ચોક્કસપણે પીએમ મોદી સુધી પહોંચાડવામાં આવ્યું છે. અહેવાલમાં એવું પણ નોંધાયું છે કે તેમના વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં, તેઓ તેમના લગ્નમાં જરૂર શામિલ થશે.

આપને જણાવી દઈએ કે કહેવાયમાં આવી રહ્યું છે કે 1 ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમ્મેદ પેલેસમાં પ્રિયંકા નિક જોનસ સાથે લગ્ન કરશે. નિક અને પ્રિયંકા શનિવારે રાત્રે મુંબઈ પહોંચી ચુક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે તેઓ બંને તેમના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત રહેશે. એવું પણ કહેવામાં આવે છે કે આ કપલ લગ્ન પહેલા 1-2 દિવસ પહેલા જોધપુર જવા માટે રવાના થશે.

