મુંબઇ,
તાજેતરમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસે 1 અને 2 ડિસેમ્બરના રોજ પુરા વિધિવિધાનો સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. તેઓએ જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં લગ્ન કર્યાં હતા.1 ડિસેમ્બરના રોજ, તેઓએ ક્રિશ્ચયન રિવાજથી લગ્ન કર્યા અને 2 ડિસેમ્બરના રોજ તેઓએ હિન્દુ રિવાજથી લગ્ન કર્યા.

લગ્નમાં જૂતા ચોવાની રસ્મ પણ હોય છે અને જીજાને ચીડવામાં આવે છે. પરિણીતી ચોપરાએ આ કામ કર્યું હતું. પ્રથમ સમાચાર એવા હતા કે પરિણીતીએ તેમના બનેવી પાસેથી જૂતા ચોરવાની રસ્મ માટે રૂ. 37 કરોડની માંગ કરી હતી. આ સમાચારને માનવું મુશ્કેલ હતા પરંતુ હવે સત્ય બહાર આવ્યું છે.

અહેવાલ છે કે પરિણીતીએ રૂ. 37 કરોડની માંગ કરી નહતી પરંતુ પાંચ લાખ રૂપિયાની માંગ કરી હતી જે મંજૂર થઇ ગઈ હતી. પરિણીતીએ નિકના જૂતા ચોરી લીધા હતા અને પાંચ લાખ રૂપિયાની ચુકવણીની ખાતરી આપી પરત કર્યા હતા.

આપને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકના મેરેજ ખુબ જ શાનદાર રીતે થયા હતા અને દરેક લોકોએ ખુબ જ એનજોય કર્યું હતું. વરમાળા દરમિયાન પણ ખુબ મસ્તી કરવામાં આવી હતી. મિત્રોએ પ્રિયંકા અને નિકને ઉપર ઉઠાવી લીધા હતા. પછી નિકએ એક સુંદર સ્પીચ આપી હતી જેને સાંભળીને પ્રિયંકાની આંખોમાં આંસુ આવી ગયા હતા. નિકએ કહ્યું હતું કે તેઓ લગ્નમાં આપેલ દરેક વચન સાથે વફાદાર રહશે. જીવનભર પ્રિયંકાનું ધ્યાન રાખશે અને તેને ખુશ રાખશે. આ સાંભળીને પ્રિયંકા ભાવુક થઇ ગઈ હતી.


