મુંબઇ,
બોલિવૂડ અભિનેતા શાહિદ કપુર છેલ્લા થોડા દિવસથી ચર્ચામાં છવાયેલા છે. થોડા દિવસથી સોશિઅલ મીડિયા પર સમાચાર આવી રહ્યા છે કે શાહિદને પેટનું કેન્સર થઈ ગયું છે. આ સમાચાર વિશે તેમના નજીકના લોકો અને પરિવારજનોએ હવે એક નિવેદન આપ્યું છે.
એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા શાહિદના પરિવારના એક સભ્યએ કહ્યું કે લોકો કંઈ પણ કઈ રીતે લખી શકે છે અને આ અફવાઓનો કોઈ આધાર નથી અને આ રીતની અફવા ફેલાવા માટે કોને જવાબદાર માનવામાં આવી શકે છે.
શાહિદ કપૂરની મેનેજર આકાંક્ષાએ પણ આ ન્યુઝને ખોટા કહ્યા છે. આકાંક્ષાએ જણાવ્યું કે જયારે શાહિદને આ વિશે જાણવા મળ્યું ત્યારે તેઓ પોતે હસવા લાગ્યા હતા. શાહિદ હાલ તેમની આગામી ફિલ્મ ‘કબીર સિંહ’ના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 2019 માં રિલીઝ થશે.
આપને જણાવી દિયા એકે ફીઈલ્મ ‘કબીર સિંહ’ તેલુગુની સુપરહિટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રિમેક છે. આ સ્ટોરી એક એવા મેડિકલ સ્ટુડન્ટની છે જેને તેનાથી નાની છોકરી સાથે લવ થઇ જાય છે. આ ફિલ્મ તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં સફળતા મળવી અને એક બ્લોકબસ્ટર ફિલ્મ રહી હતી