સુરત,
સુરતમાં લાલ દરવાજા વિસ્તારમાં પાર્ક કરેલી એમ્બ્યુલન્સ વાનમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે આાસપાસમાં અફરાતફરી સર્જાઇ હતી. એમ્બ્યુલન્સ વાનમાં શોર્ટ સર્કિટના કારણે આગી લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આયું છે.. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ નથી. પરંતુ આગમાં વાન બળીને ખાખ થઇ ગઇ હતી.. ફાયરવિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે પણ ઘટના સ્થળે પહોચીને તપાસ હાથધરી.
