સુરત,
અલ્પેશ કથીરિયાનાં જેલવાસ દરમ્યાન પાસ આંદોલનકારીઓને યોગીચોકમાં પાઇપ વડે ઢોર માર મારવમાં આવ્યો હતો. જેને લઇને અલ્પેશ કથીરિયાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો.

પોલસ કોન્સ્ટેબલ અશ્વિન ડાંગર સહીતના જવાબદાર પોલીસ કર્મીઓને ફરજ પરથી બરતરફ કરી દેવાની માંગ કરવાની દાદાગીરી કરી. ઉલ્લેખનિય છે કે,

તેના જેલવાસ દરમ્યાન પાસ આંદોલનકારીઓએ બીઆરટીએસની બસમાં તોડફોડ કરી હંગામો કર્યો હતો. હંગામાને કારણે માહોલ ગરમાયો હતો.

શહેરમાં અફરાતફરી મચી ગઇ હતી. શહેરનો માહોલ ગરમાતા પોલીસ હરકતમાં આવી હતી. ફરજના ભાગ રૂપે માહોલ શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો..
