પાલનપુર,
દેશ આજે 70મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. ત્યારે આ વખતે પાલનપુરમાં રાજ્યપાલ ઓ.પી કોહલી અને મુખ્યમંત્રી સી.એમ રૂપાણી હાજર રહ્યાં છે.

સીએમ રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી. કોહલીએ અહીં ધ્વજવંદન કર્યું હતુ અને ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતુ. શાળા અને સંસ્થાઓએ દેશનાં સાંસ્કૃતિક કાર્યોક્રમો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું કે, પ્રજાસત્તાક દિવસનું મહત્વ એટલે છે કે આપણને સંવિધાન મળ્યું, જેના પર આપણે ગર્વ કરીએ છીએ.

ગુજરાત વિકાસની દિશામાં આગળ વધે. 7૦માં પ્રજાસત્તાક દિવસ પર લોકોને શુભકામાનાઓ. આપણા દેશમાં આ દિવસ મહત્વપૂર્ણ દિવસ છે.
