Not Set/ નવસારી: નવનીકરણ કરાયેલી નહેરમાં ગાબડા પડતા ભ્રષ્ટાચાર આવ્યો બહાર

નવસારી, નવસારીના બામણવેલ ગામે કેનાલમાં ગાબડા પડ્યા જોવા મળ્યા હતા.કેનાલમાં પડેલા ગાબડાના કારણે પાણીનો બેફામ વેડફાટ થયો હતો.જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે નવનીકરણ કરાયેલી નહેરમાં ગાબડા પડતા તંત્રનો ઘોર ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. હજુ માંડ 72 દિવસમાં પાણી છોડવામાં આવ્યું હતું અને પાણી છોડતાની સાથે જ ગાબડા પડવા લગાયા છે. […]

Gujarat Others

નવસારી,

નવસારીના બામણવેલ ગામે કેનાલમાં ગાબડા પડ્યા જોવા મળ્યા હતા.કેનાલમાં પડેલા ગાબડાના કારણે પાણીનો બેફામ વેડફાટ થયો હતો.જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે નવનીકરણ કરાયેલી નહેરમાં ગાબડા પડતા તંત્રનો ઘોર ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. હજુ માંડ 72 દિવસમાં પાણી છોડવામાં આવ્યું હતું અને પાણી છોડતાની સાથે જ ગાબડા પડવા લગાયા છે. તેમજ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કેનાલના નવીનીકરણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયુ છે.

આપને જણાવી દઈએ એક એકતરફ પાણીની અછત છે. તો બીજી તરફ સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારને કારણે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.