અમદાવાદ,
પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ એરસ્ટ્રાઇક કરી સેનાના જવાને આપેલા જવાબ બાબતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહે નિવેદન આપ્યું હતું. અમિત શાહે દાવો કર્યો છે કે વાયુસેનાની એરસ્ટ્રાઇકમાં 250થી કરતા પણ વધુ આતંકીઓ માર્યા ગયા છે.
પુલવામા આતંકી હુમલા બાદ દરેકને એવું લાગતું હતું કે, આ વખતે સર્જિકલ સ્ટ્રાઇક નહીં થઇ શકે, પરંતુ શું થયું? પુલવામા આતંકી હુમલાના 13મા દિવસે કરવામાં આવેલી મોદી સરકારની એરસ્ટ્રાઇકમાં 250થી વધુ આતંકીઓ માર્યા ગયા છે.
BJP President Amit Shah in Ahmedabad, Gujarat: After Pulwama attack everyone thought "surgical strikes can't be done this time, what will happen now?" At that time PM Modi's govt did an airstrike on the 13th day and killed more than 250 terrorists. pic.twitter.com/A02kuMU9FM
— ANI (@ANI) March 3, 2019
તો બીજીબાજુ અમિત શાહના નિવેદન પર કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ સવાલ ઉભા કર્યા અમે કહ્યુ કે જ્યારે વાયુસેનાના અધિકારીએ કોઈ પણ પ્રકારના આંકડા જણાવવાનો ઇન્કાર કરી દીધો છે,
AVM RGK Kapoor said "it would be premature to say that what is the number of casualties that we have been able to inflict on those camps and what is the number of deaths," BUT @AmitShah says over 250 Terrorists killed in airstrike. Is this not milking Air Strikes for Politics????
— Manish Tewari (@ManishTewari) March 4, 2019
ત્યારે અમિત શાહ આવું નિવેદન કેમ આપી રહ્યા છે, શું આ એર સ્ટ્રાઇકને રાજનીતિ સાથે જોડવામાં નથી આવી રહી.
અમિત શાહે કહ્યું કે, જ્યારે વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને પકડી લીધો તો લોકો નિંદા કરવા લાગ્યા, પરંતુ યુદ્ધ છે તો એક જવાન પકડાઇ પણ શકે છે. શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારનો પ્રભાવ એવો હતો કે વિશ્વમાં સૌથી જલ્દી કોઇ યુદ્ધ કેદી પાછો આવ્યો હોય તો તે અભિનંદન છે.
સિલીગુડીમાં કેન્દ્રીય મંત્રી એસ એસ અહલૂવાલિયાએ નિવેદન આપતા કહ્યુ હતુ કે, ‘એર સ્ટ્રાઇકનો ઉદેશ્ય એવો સંદેશ આપવાનો હતો કે, જો જરૂર પડશે તો તે પાકિસ્તાનમાં ઘૂસીને પોતાના દુશ્મનોના ઠેકાણાઓને ધ્વસ્ત કરી શકે છે. અમે નથી ઇચ્છતા કે જાનમાલને કોઈ નુકસાન પહોંચે.
