પૂર્વ ક્રિકેટર અને કોમેટેંટર સંજય માંજરેકરે IPLમાં રમી રહેલા એક ખેલાડીને આજનો સહેવાગ બતાવ્યો છે. શું તમે કહી શકો કે કોણ છે તે? જી હા માંજરેકરે દિલ્હીનાં વિકેટકીપર ઋષભ પંતને આજનો સહેવાગ બતાવ્યો છે. માંજરેકરનાં જણાવ્યા મુજબ ઋષભ પંતની સાથે એક અલગ વર્તન થવુ જોઇએ. તેને સ્વાભાવિક રમત માટે પ્રોત્સાહિત કરવો જોઇએ.
IPL 12માં દિલ્હી કેપીટલ તરફથી રમી રહેલા ખેલાડી ઋષભ પંત વિશે પૂર્વ ક્રિકેટર અને કોમેટેટર સંજય મંજરેકરે એક પ્રતિક્રિયા આપી છે. તેમણે એક ટ્વીટમાં કહ્યુ કે, ‘પંત આજનાં સમયનો સહેવાગ છે. આ બેટ્સમેન સાથે અલગ વર્તન થવુ જોઇએ. તે જે છે તે રીતે જ રમવા દેવો જોઇએ. તમે તેને ટીમમાં રાખો કે ન રાખો, તેના રમવામાં કોઇ ફેરફાર નહી આવે.’
ઉલ્લેખનીય છે કે, ઋષભ પંતની બેટીંગને યુવ વર્ગ વધુ પસંદ કરી રહ્યો છે. આ પહેલા વિશ્વકપ માટે પંત ની પસંદગી કરવામાં આવી શકે તેવા સમાચાર મળી આવ્યા હતા પરંતુ દિનેશ કાર્તિકને જગ્યા મળ્યા બાદ પંત નાં 2019 વિશ્વકપ રમવા પર પૂર્ણ વિરામ આવી ગયુ હતુ.