દિલ્હી,
અયોધ્યા વિવાદ મુદ્દે બુધવારે સતત બીજા દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમકોર્ટે નિર્મોહી અખાડાની વિવાદિત જમીન પર માલિકી સાબિત કરવા માટે રાજસ્વ રેકોર્ડ અને અન્ય પુરાવા માંગ્યા હતા.
આ મુદ્દે અખાડાએ જવાબ આપ્યો કે એ તો 1982માં થયેલી લૂંટફાટ વખતે જ ચોરાઈ ગયા હતા.જો કે, કોર્ટે સખત વલણ અપનાવતા કહ્યું કે પહેલાં પુરાવા રજૂ કરો, પછી જ તમારી વાત સાંભળવામાં આવશે. ત્યાર પછી રામલલ્લા વિરાજમાનની દલીલો શરૂ થઈ.
Ram Janmabhoomi-Babri Masjid land dispute case: Senior advocate K Parasaran, lawyer for 'Ram Lalla Virajman', also says in Supreme Court, 'There is no dispute that it is the 'Janmasthan' of Lord Ram. Both Hindu and Muslim side calls disputed area Janmasthan.' https://t.co/mKJh1yEmqf
— ANI (@ANI) August 8, 2019
તેમના તરફથી વરિષ્ઠ એડવોકેટ કે. પરાસરને કહ્યું કે દસ્તાવેજો થકી સાબિત કરવું મુશ્કેલ છે કે ભગવાન રામનો જન્મ ક્યાં થયો હતો. લાખો શ્રદ્ધાળુઓની અડગ આસ્થા અને વિશ્વાસ જ તેનો પુરાવો છે કે, અયોધ્યાની વિવાદિત જમીન જ રામજન્મભૂમિ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
