Not Set/ નાગપુરથી દિલ્હી આવી રહેલ ઇન્ડિગો ફ્લાઇટમાં ટેકનિકલ ખામી, નિતિન ગડકરી પણ હતા સવાર

મહારાષ્ટ્રના નાગપુરથી દિલ્હી આવી રહેલ ઇન્ડિગો ફ્લાઇટમાં ટેકનિકલ ખરાબી આવી છે. આ ફ્લાઇટમાં જ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ સવાર હતા. ઇન્ડિગોની ફ્લાઇટ 6E 636 સવારે નાગપુરથી દિલ્હી આવા માટે રનવે પર ઉતરી હતી. ત્યારે અચાનક વિમાનમાં ટેકનિકલ ખરાબીબી આવી ગઈ હતી. આ પછી, વિમાનને રનવે પરથી ટેક ઓફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તમામ મુસાફરો […]

Top Stories India

મહારાષ્ટ્રના નાગપુરથી દિલ્હી આવી રહેલ ઇન્ડિગો ફ્લાઇટમાં ટેકનિકલ ખરાબી આવી છે. આ ફ્લાઇટમાં જ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ સવાર હતા. ઇન્ડિગોની ફ્લાઇટ 6E 636 સવારે નાગપુરથી દિલ્હી આવા માટે રનવે પર ઉતરી હતી. ત્યારે અચાનક વિમાનમાં ટેકનિકલ ખરાબીબી આવી ગઈ હતી.

આ પછી, વિમાનને રનવે પરથી ટેક ઓફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તમામ મુસાફરો સુરક્ષિત રીતે ડી-બોર્ડ્ડ થઈ ગયા છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ થઇ નથી.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી દિલ્હીમાં રાત્રે 11 વાગ્યે યોજાનારી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભાગ લેવાના હતા. લોક કલ્યાણ માર્ગ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. અંતિમ ક્ષણે ફ્લાઇટમાં ખામી હોવાને કારણે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી માટે મીટિંગમાં ભાગ લેવો મુશ્કેલ છે.

માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી 15 ઓગસ્ટે મોટા પ્રોજેક્ટ્સ અને યોજનાઓની ઘોષણા કરી શકે છે. સાથે જ જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિની સમીક્ષા કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.