Not Set/ આંબેડકરનગર : CMને જોવા મચી નાસભાગ, એકનું મોત, બે ઘાયલ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભામાં અકસ્માત સર્જાયો છે. સભા સ્થળે નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના આંબેડકરનગર જિલ્લાની છે. શનિવારે એકઠા થયેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જોવા માટે નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન સફાઇ કામદાર સુરેશનું મોત નીપજ્યું હતું. એવું કહેવામાં […]

Top Stories India

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભામાં અકસ્માત સર્જાયો છે. સભા સ્થળે નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

આ ઘટના આંબેડકરનગર જિલ્લાની છે. શનિવારે એકઠા થયેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જોવા માટે નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન સફાઇ કામદાર સુરેશનું મોત નીપજ્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બપોરે જ્યારે મુખ્યમંત્રી યોગીનું હેલિકોપ્ટર આવ્યું ત્યારે તેમને જોવા માટે નાસભાગ મચી ગઈ હતી. ભીડમાં ધક્કા-મુક્કી થવા લાગી હતી. આ દરમિયાન સફાઇ કામદાર સુરેશ નીચે પડી ગયો હતો.

ઘણા લોકો તેના પર પગ મૂકીને દોડી ગયા હતા. ભીડમાં દબાણ આવતા સુરેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમયગાળા દરમિયાન અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ત્યાંના વહીવટી તંત્રએ પૂરતી વ્યવસ્થા કરી નહોતી. આ ઘટનાને કારણે બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.