Not Set/ ઇરાકમાં બેરોજગારીએ માજા મુકી, સરકારે દયા મુકી – દેખાવકારો પર વરસી ગોળીઓમાં 33નાં મોત

જ્યાં દેશમાં કુદરતે ખનીજ તેલનો અખુટ ભંડાર આપ્યો છે. જે દેશ વિશ્વમાં એક સમર્થ દેશ તરીકે જોવાતો હતો, તે દેશનાં યુવકો આજે બેરાજગારીનાં કારણે રસ્તા પર આવી ગયા છે. વાત કરવામાં આવી રહી છે ઇરાકની. જી હા બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા અનેક મુદ્દાઓને લઇને હાલ ઇરાકમાં લોકો છેલ્લા અઠવાડીયાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શુક્રવારે ઇરાકની […]

World

જ્યાં દેશમાં કુદરતે ખનીજ તેલનો અખુટ ભંડાર આપ્યો છે. જે દેશ વિશ્વમાં એક સમર્થ દેશ તરીકે જોવાતો હતો, તે દેશનાં યુવકો આજે બેરાજગારીનાં કારણે રસ્તા પર આવી ગયા છે. વાત કરવામાં આવી રહી છે ઇરાકની. જી હા બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા અનેક મુદ્દાઓને લઇને હાલ ઇરાકમાં લોકો છેલ્લા અઠવાડીયાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

શુક્રવારે ઇરાકની રાજધાની બગદાદમાં જ્યારે પ્રદર્શનકર્તાઓ લાંબી શાંતી બાદ હિંસક બન્યા, તો ઇરાકી સુરક્ષા દળોએ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમા 33 જેટલા લોકોનાં મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. તો, લગભગ 1500થી વધારે લોક ઘાયલ થયા છે.

વિદેશી માધ્યમ અલ જજીરાનાં રિપોર્ટ અનુસાર ઇરાકી ઇન્ડિપેન્ટેન્ટ હાઇ કમીશન ફોર હ્યુમન રાઇટ્સ ( IHCHR) ના એક સભ્ય અલી અલ બયાતીએ ગુરૂવારે રાત્રે પતારકારોને જણાવ્યું કે બગદાદ અને કેટલાક અન્ય પ્રાંતોમાં ત્રણ દિવસનાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં મરનારાઓની સંખ્યા બે સુરક્ષા કર્મચારીઓ સહિત વધીને 33 થઇ ચુકી છે, 1509 ઘાયલોમાં 401 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો