કંકાવલી અને માણ એવી બે બે વિધાનસભા બેઠકો છે જ્યાં શિવસેનાએ ભાજપના ઉમેદવાર હોવા છતાં પણ તેમના ઉમેદવારો ઉભા કર્યા છે. કંકાવલી બેઠક પરથી પૂર્વ સીએમ નારાયણ રાણેના પુત્ર નીતેશ રાણેને ભાજપે ટિકિટ આપી છે, જ્યારે જયકુમાર ગોરને માણ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ બંને નેતાઓ કોંગ્રેસની ટિકિટ પર 2014 ની ચૂંટણી જીત્યા હતા અને તાજેતરમાં ભાજપમાં જોડાયા છે.
ભારતીય જનતા પાર્ટી અને શિવસેના મળીને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. નામાંકનના અંતિમ રાઉન્ડ સુધીમાં, બંને પક્ષોમાં બેઠક વહેંચણી અંગે સમજૂતી થઈ હતી, પરંતુ કેટલીક બેઠકો એવી છે કે જ્યાં શિવસેનાએ પોતાને ગઠબંધન ધર્મ કરતા આગળ રાખ્યું છે અને ભાજપના ફાળે જતી બેઠક પર પણ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે.
કાંકવાલી અને માણ બે વિધાનસભા બેઠકો છે જ્યાં શિવસેનાએ ભાજપના ઉમેદવાર હોવા છતાં પણ તેમના ઉમેદવારો ઉભા કર્યા છે. કંકાવલી બેઠક પરથી પૂર્વ સીએમ નારાયણ રાણેના પુત્ર નીતેશ રાણેને ભાજપે ટિકિટ આપી છે, જ્યારે જયકુમાર ગોરને માણ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ બંને નેતાઓ કોંગ્રેસની ટિકિટ પર 2014 ની ચૂંટણી જીત્યા હતા અને તાજેતરમાં ભાજપમાં જોડાયા છે.
જૂના વિરોધનું કારણ
કંકાવલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર નીતેશ રાણેના વિરોધ પાછળ જૂનો ઝગડો છે. નીતેશ રાણેના પિતા નારાયણ રાણે અગાઉ શિવસેનામાં હતા, પરંતુ 2005 માં તેઓ શિવસેના છોડીને કોંગ્રેસ સાથે ગયા હતા. એટલું જ નહીં નારાયણ રાણે કોંગ્રેસમાં ગયા અને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું.
નારાયણ રાણેએ 2017 માં કોંગ્રેસ છોડી દીધી હતી. આ પછી, રાણે સ્વાભિમાન પક્ષના નામે પોતાનો પક્ષ બનાવ્યો અને તેને ભાજપમાં ભેળવી દીધો હતો. ભાજપે રાણેને તેમની ટિકિટ પર રાજ્યસભામાં મોકલ્યા હતા.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
