Not Set/ માનહાનિ કેસ : કોર્ટમાં પણ પોતાનાં નિવેદન પર અડગ રહ્યાં રાહુલ ગાંધી

પૂર્વ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે તેમની બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે.  ગુજરાતની સુરત કોરટમાં માનહાનીના કેસ માં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સુરત પહોચ્યા છે. એરપોર્ટ પર કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમ અહેમદ પટેલ, અમિત ચાવડા,શક્તિસિંહ ગોહિલ વિગેરે નેતાઓ પણ  હાજરરહ્યા હતા. અંહી રાહુલ ગાંધી દ્વારા એરપોર્ટ […]

Top Stories Gujarat Surat India

પૂર્વ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે તેમની બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે.  ગુજરાતની સુરત કોરટમાં માનહાનીના કેસ માં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સુરત પહોચ્યા છે. એરપોર્ટ પર કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમ અહેમદ પટેલ, અમિત ચાવડા,શક્તિસિંહ ગોહિલ વિગેરે નેતાઓ પણ  હાજરરહ્યા હતા. અંહી રાહુલ ગાંધી દ્વારા એરપોર્ટ થી લઈ ને કોર્ટ સુધી મીની રોડ શો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

રેલી બાદ રાહુલ ગાંધી કોરટમાં હાજર થયા હતા. પોણા અગિયાર વાગે શરૂ થઈ હતી કોર્ટની કાર્યવાહી શરૂ થઈ હતી. જેમાં રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછાયો હતો કે, કે ગુનો કબૂલ છે કે નહીં…? તો જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું ગુનો કબૂલ નથી. આ અંગે વધુ સુનાવણી 10 ડિસેમ્બરે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ કોર્ટમાં માનહાનિની ફરિયાદ નોધાવી હતી. કોર્ટ પરિસરમાં થી બહાર આવ્યા બાદ રાહુલ ગાંધી સુરત કોર્ટેથી એરપોર્ટ ખાતે જવા રવાના થયા હતા.

આ અંગે શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે, લોકશાહીમાં, સત્તામાં રહેલી પાર્ટીએ વિપક્ષની ટીકા સહન કરવી જોઇએ. રાહુલ જીએ કહ્યું હતું કે લલિત મોદી અને નીરવ મોદી ચોર છે, અને નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યા છે. બીજેપીએ તેમના નિવેદનને મોદી સમાજ સાથે જોડ્યું હતું અને જણાવ્યુ હતું કે, રાહુલ ગાંધીએ તેમનું અપમાન કર્યું છે.

જ્યારે એહમદ પટેલે આ અંગે જણાવ્યુ હતું કે, રાહુલ ગાંધીએ માનહાનિના કેસમાં સુરતની કોર્ટમાં તેમણે સમન્સ પાઠવવામાં આવ્યું હતું તેથી હાજર રહ્યાં હતા.  કાયદો પોતાનું કામ કરશે.  કોર્ટ ક્યારે નિર્ણય લેશે તે જોશું. ન્યાયાધીશ જે કહેશે તે પ્રમાણે જ કરવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.