કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નોટબંધીને લઇને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે નોટબંધી એક આપત્તિ સાબિત થઈ છે, જેણે દેશનાં અર્થતંત્રને નષ્ટ કર્યું છે. આની જવાબદારી કોણ લેશે? આપને જણાવી દઈએ કે 8 નવેમ્બર, 2016 નાં રોજ, રાત્રે 8 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક 500 અને 1000 ની નોટો બંધ કરવાની ઘોષણા કરી હતી. આ ઘોષણા પછી દેશમાં અરાજકતા જોવા મળી હતી અને બેંકોની બહાર લાંબી કતારો લાગી હતી. આજે, આ નોટબંધીનાં ત્રણ વર્ષ પૂર્ણ થયા છે.
नोटबंदी को तीन साल हो गए। सरकार और इसके नीमहक़ीमों द्वारा किए गए ‘नोटबंदी सारी बीमारियों का शर्तिया इलाज’ के सारे दावे एक-एक करके धराशायी हो गए।
नोटबंदी एक आपदा थी जिसने हमारी अर्थव्यवस्था नष्ट कर दी। इस ‘तुग़लकी’ कदम की जिम्मेदारी अब कौन लेगा?#3YrsOfDeMoDisaster
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 8, 2019
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, ‘નોટબંધીને ત્રણ વર્ષ થયા છે. સરકાર અને તેમના સંચાલકો દ્વારા કરવામાં આવેલા ‘બધા રોગો માટે ડિમોનેટાઇઝેશન ઇલાજ’ નાં તમામ દાવા એક પછી એક ધરાસાઇ થઇ ગયા છે. ડિમોનેટાઇઝેશન એક આપત્તિ સાબિત થઈ જેણે આપણું અર્થતંત્ર બગાડ્યું. હવે આ ‘તુગલકી’ પગલાની જવાબદારી કોણ લેશે? ‘
પ્રિયંકાએ ગુરુવારે અર્થવ્યવસ્થા વિશે ટ્વીટ કર્યું હતું, ‘દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ ઘણી નબળી છે. સર્વિસ સેક્ટર ફ્લેટ પડી ગયું છે. રોજગાર ઘટી રહ્યો છે. શાસક મસ્ત છે, જનતા દરેક મોર્ચે ત્રસ્ત છે.’
Today is the third anniversary of #DeMonetisationDisaster. Within minutes of announcement, I had said that it will ruin the economy and the lives of millions. Renowned economists, common people & all experts now agree. Figures from RBI have also shown it was a futile exercise 1/2
— Mamata Banerjee (@MamataOfficial) November 8, 2019
વળી પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું છે, ‘મેં નોટબંધીની ઘોષણા પછી તરત જ કહ્યું હતું કે તે અર્થતંત્ર અને લાખો લોકો માટે વિનાશકારી હશે. પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ, સામાન્ય લોકો અને બધા નિષ્ણાતો પણ હવે આ વાતથી સહમત છે. આરબીઆઈનાં ડેટાએ પણ તે જ બતાવ્યું છે. નોટબંધી પછીથી આર્થિક આપત્તિ શરૂ થઈ ગઇ હતી. ખેડૂતો, યુવાનો, મજૂરો અને વેપારીઓ દરેક તેનાથી પ્રભાવિત થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
