તમિલનાડુમાં વેલોર શહેરના મલાઈકોદી પર્વતો પર સ્થિત મહાલક્ષ્મી મંદિર 15 હજાર કિલો સોનાથી બનેલું છે. આ મંદિર 100 એકર વિસ્તારમાં પથરાયેલું છે અને આ મહાલક્ષ્મી મંદિરની દરેક આર્ટવર્ક હાથથી બનાવવામાં આવી છે.
વિશ્વનું આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં આટલા સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, વિશ્વ પ્રસિધ્ધ અમૃતસરના સુવર્ણ મંદિરમાં પણ 750 કિલોગ્રામ સોનાનું છત્ર છે.
જ્યારે વેલોર શહેરના મલાઈકોદી પર્વતો પર સ્થિત મહાલક્ષ્મી મંદિરમાં 15 હજાર કિલો સોના વાપરવામાં આવ્યું છે. 2007 માં આ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. રાત્રે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. કારણ કે રાત્રે સોનાથી બનેલું આખું મંદિર રોશનીથી પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. રાત્રીનાં સમયે મંદિરનો નજારો અદભૂત દૃશ્યમાન થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.