શુક્રવારે રાત્રે 11.40 કલાકે ઉન્નાવ બળાત્કાર પીડિતાનું સફદરજંગ હોસ્પિટલમાં નિધન થયું હતું. સફદરજંગ હોસ્પિટલે પહેલેથી જ આગાહી કરી હતી કે આગામી 48 કલાક નેવું ટકા સળગી ગયેલ પીડિત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આપને જણાવી દઈએ કે ભોગ બનનારને ગુરુવારે મોડી રાત્રે લખનૌની સિવિલ હોસ્પિટલથી એરલિફ્ટ કરીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન પીડિતાએ છેલ્લી વાર તેના ભાઈને કહ્યું હતું કે જેમણે આવી હાલત કરી છે, તેમને સજા આપવામાં આવે. તેણે એમ પણ કહ્યું હતું કે તે હમણાં મરવા માંગતી નથી.
ગુરુવારે સવારે તેણી જ્યારે તેના ઘરેથી સ્ટેશન જવા નીકળી ત્યારે બળાત્કારના આરોપીએ તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. તે લગભગ 90 ટકા બળી ગઈ હતી, તેથી તેની સ્થિતિ નાજુક હતી. તેમને એરલિફ્ટ કરવામાં આવી હતી અને લખનૌથી દિલ્હી લાવવામાં આવી હતી. હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા અનુસાર, પીડિતાની હાલત રાતે 8.30 વાગ્યાથી બગડવાની શરૂઆત થઈ હતી.
પોલીસે આ કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરી હતી
ઉન્નાવ ગેંગરેપ પીડિતાને સળગાવી દેવાના મામલે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. આ કેસની ગંભીરતા જોઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
ડોક્ટરે કહ્યું – વેન્ટિલેટર ઉપર હરકત થઇ અને પછી …
સફદરજંગ હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટિક વિભાગના એચઓડી ડોક્ટર શાલભ કુમારે જણાવ્યું હતું કે, રાત્રીના 8.30 વાગ્યે વેન્ટિલેટર ક્રિયામાં આવી ગયું હતું અને પીડિતાનું બ્લડ પ્રેશર ઘટવા લાગ્યું હતું. ડોકટરોએ સાથે મળીને દવાના ડોઝ આપવાનું શરુ કર્યું.
Dr Shalabh Kumar, HOD (burns and plastic), Safdarjung Hospital: She suffered cardiac arrest at 11:10 pm and we tried to resuscitate her, but she could not survive and at 11:40 pm she died. https://t.co/xoQpYTAdQT
— ANI (@ANI) December 6, 2019
એ જ રાત્રે 9.25 વાગ્યે બ્લડ પ્રેશર થોડુંક સ્વસ્થ થઈ ગયું હતું, પરંતુ 11.10 વાગ્યે સ્થિતિ ફરીથી કથળી હતી, ઉતાવળમાં, ડોકટરોની ટીમે તેને બે ઇન્જેક્શન આપ્યા, પરંતુ 11.30 વાગ્યે, કાર્ડિયાક એટેકથી તેના ધબકારાના દરમાં ઘટાડો થયો અને બ્લડ પ્રેશર પણ ઓછું થયું. આ પછી, 11.40 મિનિટમાં પીડિતાને મૃત જાહેર કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો
ગુરુવારે ઉન્નાવમાં આરોપીએ તેના પર પેટ્રોલ છાંટીને સળગાવી તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતા તેમાં 90 ટકા બળી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પીડિતા આગ લાગ્યા પછી પીડિતા એક કિ.મી. સુધી દોડી ગઈ હતી અને મદદની વિનંતી કરી હતી. તેણે પોતે પણ 112 પર ફોન કર્યો હતો અને પોલીસને ઘટનાની જાણ કરી હતી, ત્યારબાદ પોલીસ ટીમ અને એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
