નાગરિકતા સુધારા બિલ (સીએબી) પર લોકસભામાં મતદાન સમયે નિતીશ કુમારનાં પક્ષ જનતા દળ યુનાઇટેડ દ્વારા સમર્થન આપવામાં આવ્યું. પરંતુ હવે પક્ષમાં આ બિલ સામે વિરોધ વધવા માંડ્યો છે. JDUનાં મહામંત્રી અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર દ્વારા આ બિલનો વિરોધ કરવમાં આવી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
Disappointed to see JDU supporting #CAB that discriminates right of citizenship on the basis of religion.
It's incongruous with the party's constitution that carries the word secular thrice on the very first page and the leadership that is supposedly guided by Gandhian ideals.
— Prashant Kishor (@PrashantKishor) December 9, 2019
જેડીયુના નેતા પ્રશાંત કિશોરે નાગરિકતા સુધારણા બિલને ટેકો આપવાના પક્ષના નિર્ણયને નિરાશાજનક ગણાવ્યો હતો. તેમણે ટ્વિટ કર્યું છે કે, “નાગરિકત્વ સુધારણા બિલ માટે જેડીયુનું સમર્થન ધર્મના આધારે નાગરિકત્વના અધિકાર પર ભેદભાવ કરતો જોવા માટે નિરાશ.”
પ્રશાંત કિશોરે જણાવ્યું કે, “આ પક્ષના બંધારણ સાથે વિરોધાભાસી છે, જેમાં તેના પહેલા પાના પર ત્રણ વખત ધર્મનિરપેક્ષ શબ્દ લખાયો છે અને જેનું નેતૃત્વ સંભવત ગાંધીવાદી આદર્શોના માર્ગને અનુસરે છે.”
તે જ સમયે, જેડીયુ નેતા રાજીવ રંજન સિંહે કહ્યું કે આ બિલ કોઈપણ રીતે બિનસાંપ્રદાયિકતાની વિરુદ્ધ નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૃહને ખાતરી આપી હતી કે આ બિલ કોઈપણ રીતે ગેરબંધારણીય નથી. જ્યારે કોંગ્રેસે તેને કાળો દિવસ(બિલ પાસ થવાનો દિવસ) ગણાવ્યો હતો અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ તેને દરેક મંચ પર પડકારવાની જાહેરાત કરી છે.
