હાર્દિક પટેલ ઉપર પાટીદાર અનામત આંદોલન વખતે મહેસાણામાં થયેલા તોડફોડના મામલે મહેસાણા જિલ્લામાં પ્રવેશ પર રોક લગાવતી જામીનની શરતોમાં સુધારા માટે હાર્દિક પટેલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાર્દિક પટેલ દ્વારા મહેસાણામાં પ્રવેશ માટે મંજૂરી માંગી છે. જે અંગે હવે હાઇકોર્ટ દ્વારા આગામી 16 ડીસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્રારા આગામી 18 થી 22 ડિસેમ્બર 2019 સુધી શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ઊંઝા લક્ષચંડી યજ્ઞમાં ભાગ લેવા માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ માટે છૂટ આપવામાં આવે તે સબબ અરજીમાં રજૂઆત કરી છે. ધાર્મિક પ્રસંગમાં હાજરી માટે થોડા દિવસો માટે તેને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે તે માટે કોર્ટની અનુમતિ આપે તેવી હાર્દિક પટેલની રજૂઆત છે.
નવ દિવસ માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે તે અંગે કોર્ટ છૂટ આપે તેવી માંગ કરતી અરજી કરવામાં આવી છે. હાર્દિક પટેલની અરજીનો રાજ્ય સરકારે વિરોધ નોધોવ્યો છે. હાર્દિકની અરજી સામે રાજ્ય સરકારે સોગંદનામું કોર્ટમાં રજૂ કર્યું. લાખો લોકોની જ્યાં હાજરી થવાની છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે અગાઉની શરતોમાં બદલાવ ન કરવામાં આવે તેવી રાજ્ય સરકારની રજૂઆત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.