નાગરિકતા અધિનિયમ (સીએએ) સામેનાં વિરોધને રોકવા માટે વહીવટીતંત્ર દ્વારા વારંવાર આપવામાં આવેલી કલમ 144 ઉપર કોંગ્રેસનાં નેતા અલકા લાંબાએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. અલકા લાંબાએ કહ્યું છે કે, 22 ડિસેમ્બરે રામલીલા મેદાનમાં વડા પ્રધાનની રેલી થવાની છે જેને અમે દેશનાં સામાન્ય નાગરિકો ઘોષણા સાથે કહીએ છીએ કે ત્યાં કલમ 144 લાગું કરવામાં આવશે.
અલકા લાંબા નાગરિકતાનાં કાયદાનાં વિરોધમાં આંદોલન કરી રહી છે. તેમણે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે કે, લોકશાહી હેઠળ શાંતિપૂર્ણ રીતે જો ભારતનાં નાગરિકો પોતાનો અવાજ ઉઠાવશે, તો કલમ 144 તેમના પર થોપી તેમને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. દેશ અને દિલ્હીની જનતાએ ઘોષણા કરી છે કે 22 ડિસેમ્બરે રામલીલા મેદાનમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેથી કોઈ પણ ત્યાં ચૂંટણી જાહેર સભા કરીને દેશને ગેરમાર્ગે દોરી શકે અને ભાગલા ન પાડી શકે.
જણાવી દઇએ કે નાગરિકતા કાયદાનાં વિરોધમાં દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રાજધાની દિલ્હી પણ તેનાથી દૂર રહી શકી નથી. દિલ્હીનાં સીલમપુર, જામિયામાં હિંસક દેખાવો થયા છે. ગુરુવારે, દિલ્હીની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે લાલ કિલ્લા પર કલમ 144 લાગુ કરવી પડી હતી, વળી 20 મેટ્રો સ્ટેશન પણ બંધ કરવા પડ્યા હતા. ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. યોગેન્દ્ર યાદવ સહિત અનેક નેતાઓની અટકાયત પણ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.