તેલંગાણા હાઈકોર્ટ શનિવારે હૈદરાબાદમાં એક મહિલા પશુવૈદ સાથે બળાત્કાર અને હત્યાના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર આરોપીઓના મૃતદેહોમાંથી જરૂરી પુરાવા એકત્રિત કરવાની વિનંતી પર સુનાવણી કરશે. આ ચારેય આરોપીઓ 6 ડિસેમ્બરે કથિત એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
મુખ્ય ન્યાયાધીશ રાઘવેન્દ્રસિંહ ચૌહાણ અને ન્યાયાધીશ અભિષેક રેડ્ડીની ડિવિઝન બેંચ કેટલાક મહિલા કાર્યકરોની અરજીની સુનાવણી કરી રહી છે, જેમણે મૃતદેહો અને અન્ય લોકો પાસેથી પુરાવા એકત્રિત કરવા સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અમલ કરવા વિનંતી કરી છે. સુપ્રીમ કોર્ટે મૃતદેહોમાંથી જરૂરી પુરાવા એકત્રિત કરવા અંગે કોઈ આદેશ આપવાનો મુદ્દો છોડી દીધો હતો.
તેલંગાણાના એડવોકેટ જનરલની દલીલ હતી કે સર્વોચ્ચ અદાલતના નિર્દેશન મુજબ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પહેલાથી જ કરવામાં આવ્યું છે. તેથી, ફરીથી પોસ્ટમોર્ટમ કરવા માટે કોઈ ઓર્ડર પસાર કરવાની જરૂર નથી. સ્ત્રી પશુવૈદ સાથે બળાત્કાર કર્યા પછી તેની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના શરીરને આગ ચાંપી દેવામાં આવી હતી. તેનો મૃતદેહ 28 નવેમ્બરના રોજ હૈદરાબાદ-બેંગ્લોર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરની એક પુલ હેઠળ મળી આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
