Not Set/ ભાઈને ભાઈ સાથે લડાવીને દેશ નહી વધે આગળ : રાહુલ ગાંધી

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, વર્તમાન સરકાર અર્થવ્યવસ્થાનાં મોરચે નિષ્ફળ ગઈ છે. વિશ્વનાં દેશો તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરી રહ્યા છે અને આપણે હિંસા જોઇ રહ્યા છીએ. નાગરિકત્વ કાયદો અને એનઆરસી અંગે રાહુલે જાહેર કર્યા વિના નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, ભાઈ સાથે ભાઈને લડાવીને દેશનો ફાયદો નહીં થાય. જ્યાં […]

Top Stories India

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, વર્તમાન સરકાર અર્થવ્યવસ્થાનાં મોરચે નિષ્ફળ ગઈ છે. વિશ્વનાં દેશો તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરી રહ્યા છે અને આપણે હિંસા જોઇ રહ્યા છીએ. નાગરિકત્વ કાયદો અને એનઆરસી અંગે રાહુલે જાહેર કર્યા વિના નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, ભાઈ સાથે ભાઈને લડાવીને દેશનો ફાયદો નહીં થાય. જ્યાં સુધી દરેક એક સાથે નહીં થાય ત્યાં સુધી દેશ આગળ વધશે નહીં.

છત્તીસગઢ પહોંચેલા રાહુલ ગાંધીએ શુક્રવારે અહીં જણાવ્યું હતું કે, પહેલા વિશ્વ કહેતો હતો કે ભારત અને ચીન આર્થિક મોરચે સમાન ગતિએ આગળ વધી રહ્યા છે, પરંતુ હવે પરિસ્થિતિ બદલાતી હોય તેવું લાગે છે. વિશ્વ ભારતમાં હિંસા જોઇ રહ્યુ છે, મહિલાઓ રસ્તાઓ પર પોતાને સલામત સમજતી નથી, બેકારી વધી રહી છે.

રાહુલે કહ્યું કે, આ સરકાર કેટલીક વખત નોટબંદી લાવે છે અને કેટલીકવાર એનઆરસી. તેમણે કહ્યું કે એનઆરસી અથવા એનપીઆર ગરીબો પર એક બોજ છે, નોટબંધી પણ ગરીબો પર એક મોટો ફટકો જ હતો. ગરીબ પુછે છે કે અમને કેવી નોકરી મળશે અને સરકાર ગરીબોની કમર તોડી રહી છે.

રાયપુરમાં રાષ્ટ્રીય આદિજાતિ નૃત્ય મહોત્સવનો પ્રારંભ કરતાં રાહુલે કહ્યું કે, છત્તીસગઢમાં હિંસામાં ઘટાડો થયો છે કારણ કે અહીંની સરકાર લોકોનો અવાજ સાંભળે છે. દરેક ધર્મ, જાતિ, આદિજાતિ, દલિત-પછાતને લીધા વિના ભારતની અર્થવ્યવસ્થા ચલાવી શકાતી નથી. જ્યાં સુધી તમે દરેકને ઉમેરશો નહીં, ત્યા સુધી આ શક્ય બની શકશે નહી.

વાયનાડનાં સાંસદ રાહુલે જણાવ્યું હતું કે, અર્થવ્યવસ્થા ખેડૂત, મજૂર, ગરીબ અને આદિવાસીઓ ચલાવે છે. 10-15 લોકોનાં હાથમાં તમામ પૈસા હોવાથી, નોટબંધી અને ખોટી જીએસટી અમલીકરણ સાથે ભારતની અર્થવ્યવસ્થા ચાલી શકતી નથી. રાહુલે આ સમયગાળા દરમિયાન છત્તીસગઢની ભૂપેશ બઘેલ સરકારની પ્રશંસા પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.