પોલીસે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) માં 10,000 અજાણ્યા વિદ્યાર્થીઓ સામે કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર કેમ્પસમાં થયેલી હિંસા મામલે 15 ડિસેમ્બરે કેસ નોંધવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે 15 ડિસેમ્બરના રોજ નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) અને એનઆરસી વિરુદ્ધ કેમ્પસમાં ભારે હંગામો થયો હતો. દરમિયાન, મુઝફ્ફરનગરમાં શનિવારે લગભગ એક અઠવાડિયા બાદ ઇન્ટરનેટ પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો.
એએમયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી અધ્યક્ષ સલમાન ઈમ્તિયાઝએ આક્ષેપ કર્યો છે કે પોલીસે 15 મીએ વિદ્યાર્થીઓને ક્રૂરતા કરી હતી, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. યુપી પોલીસે બાદમાં તેના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો ટ્વીટ કર્યો. સાથે જ લખ્યું, ‘અમે પહેલાથી જ કહીએ છીએ કે એએમયુ ગેટને કોઈ પણ સુરક્ષા એજન્સી દ્વારા તોડવામાં આવ્યો નથી. આ વિડીયો તેની પુષ્ટિ કરે છે. ‘
Police appealing for order and warning the unlawful assembly. Some policemen received injuries in stone pelting. To control the situation, police had to resort to tear gas munitions.
Situation is under control.@ndtv @News18UP @ANINewsUP @htTweets #AligarhMuslimUniversity pic.twitter.com/2BQDARAfm2— UP POLICE (@Uppolice) December 15, 2019
ગેટ પર જોવા મળ્યા પ્રદર્શનકરી
એએમયુ કેમ્પસમાં 15 ડિસેમ્બરે થયેલી હિંસાના આ વીડિયોમાં, સેંકડો વિરોધીઓ યુનિવર્સિટી ગેટ તરફ દોડતા જોવા મળ્યા હતા, તેઓ ગેટને જોર-જોરથી હલાવતા અને તોડતા જોવા મળ્યા હતા. યુનિવર્સિટીના સુરક્ષા જવાનોએ ગેટ બંધ કરી દીધો હતો પરંતુ એએમયુના ગેટ પર ઉભા રહેલા વિરોધીઓ એકદમ ઉશ્કેરાયેલા જોવા મળ્યા.
વિડીયોમાં અલગ વાર્તા
આ વીડિયો પછી એસએસપી અલીગઢ આકાશ કુલહરીએ કહ્યું હતું કે, ‘વીડિયોમાં જે દેખાય છે તે સત્ય જણાવે છે. અમે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપ્યું છે કે એએમયુ વિદ્યાર્થીઓ ખૂબ ગુસ્સે હતા અને જાણી જોઈને તણાવ પેદા કરી રહ્યા હતા. આત્મરક્ષણ માટે પોલીસે હળવા બળનો ઉપયોગ કર્યો હતો. મામલો કોર્ટમાં છે. 15 ડિસેમ્બરના રોજ, એએમયુમાં સીએએ પર ભારે હોબાળો થયો હતો. કેમ્પસમાં ટીયર ગેસના શેલ ચલાવવામાં આવ્યાં હતાં. આ દરમિયાન એક વિદ્યાર્થીનો હાથ કપાઈ ગયો હતો.
એએમયુમાં કેન્ડલ માર્ચ દરમિયાન 1200 પર કેસ
25 મી ડિસેમ્બરે જામિયા મીલીયા ઇસ્લામીયા અને એએમયુના પોલીસ કાર્યવાહીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને એકતા બતાવવા કેમ્પસમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. આ દરમિયાન 1200 અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પ્રતિબંધક ઓર્ડરનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
