Not Set/ અમદાવાદ CP આશિષ ભાટીયાએ કન્ટેઈનમેન્ટ એવા કોટ વિસ્તારની મુલાકાત બાદ શું કહ્યું, …

ગુજરાતમાં નોધાયેલા 5400 થી વધુ કોરોના દર્દીઓમાંથી 60 ટકાથી વધુ દર્દીઓમાંત્ર અમદાવાદ ખાતે નોધાયા છે. ત્યારે શહેરમાં 10 જેટલા વિસ્તારોને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ આજે આ  કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ આસ્ટોડિયા, ગોળલીમડા, ખાડિયા, માણેકચોક, માંડવીપોળ સહિતના કોટ વિસ્તારની સમિક્ષા કરી છે.  પોળમાંથી બહાર […]

Ahmedabad Gujarat

ગુજરાતમાં નોધાયેલા 5400 થી વધુ કોરોના દર્દીઓમાંથી 60 ટકાથી વધુ દર્દીઓમાંત્ર અમદાવાદ ખાતે નોધાયા છે. ત્યારે શહેરમાં 10 જેટલા વિસ્તારોને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ આજે આ  કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારની મુલાકાત લીધી હતી.

પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ આસ્ટોડિયા, ગોળલીમડા, ખાડિયા, માણેકચોક, માંડવીપોળ સહિતના કોટ વિસ્તારની સમિક્ષા કરી છે.  પોળમાંથી બહાર નીકળનાર વ્યક્તિને ચોપડામાં એન્ટ્રી કરવાની રહેશે. તો બિનજરૂરી બહાર નિકળનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

શહેરના પાંચ ઓવર બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા જેથી એલિસબ્રિજ અને સુભાષબ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા જે અંગે પોલીસ કમિશ્નર ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે તેવું અનુમાન લગવવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશ્નર સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તેઓએ લોકડાઉન અને પોઝિટિવ કેસોની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને કહ્યું હતું કે……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.