સોમવારથી શરૂ થતી ઘરેલુ ફ્લાઇટ્સ વચ્ચે આગામી એક-બે મહિનામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ થવાની અફવાઓ પણ સામે આવી રહી છે. આવી સ્થિતિમાં, કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સથી આવતા મુસાફરોને લઈને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં તેમને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રાખવાની શરતને ફરજિયાત બનાવવામાં આવેલ છે.
આ માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સથી ભારત આવતા મુસાફરોને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રોકાવું પડશે. આ માટે, તેઓને સાત દિવસ સરકાર દ્વારા બનાવાયેલા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવશે, જેના માટે મુસાફરો પોતે ખર્ચ ઉઠાવશે. આ પછી, તેઓને આગામી સાત દિવસો માટે હોમ ક્વોરેન્ટાઇનમાં રોકાવું પડશે.
Ministry of Health and Family Welfare issues guidelines for international arrivals: 14-day mandatory quarantine- 7 days institutional quarantine at own cost followed by 7 days of home isolation pic.twitter.com/RWGataVm1m
— ANI (@ANI) May 24, 2020
