Not Set/ દેશમાં કોરોના વાયરસથી મોતનો આંકડો પહોંચ્યો 10 હજાર પાર

ભારતમાં, મંગળવારે કોવિડ-19 માં મૃત્યુઆંક 10,000 ને વટાવી ગયો છે અને કેન્દ્રએ ટેસ્ટિંગ ક્ષમતા દરરોજ 3 લાખ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મહિનામાં છઠ્ઠી વખત મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા શરૂ કરી હતી ત્યારે જીવન અને આજીવિકા બંનેનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર દેશમાં 10,000 થી વધુ નવા કેસ પછી […]

India

ભારતમાં, મંગળવારે કોવિડ-19 માં મૃત્યુઆંક 10,000 ને વટાવી ગયો છે અને કેન્દ્રએ ટેસ્ટિંગ ક્ષમતા દરરોજ 3 લાખ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મહિનામાં છઠ્ઠી વખત મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા શરૂ કરી હતી ત્યારે જીવન અને આજીવિકા બંનેનાં મહત્વ પર ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર દેશમાં 10,000 થી વધુ નવા કેસ પછી દેશમાં સંક્રમણ સતત પાંચમા દિવસે સામે આવ્યો છે. આ કેસો વધીને 3,43,091 થઈ ગયા છે, જ્યારે 380 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા બાદ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 9,900 પર પહોંચી. વિશ્વવ્યાપી આ રોગને કારણે અત્યાર સુધીમાં 4,37,283 લોકોનાં મોત નીપજ્યાં છે અને ભારત આ મામલે આઠમાં ક્રમે છે. પીટીઆઈ-ભાષા દ્વારા તૈયાર કરવામાં આવેલી સૂચિ મુજબ, રાત્રે સાડા દસ વાગ્યા સુધી દેશમાં આ રોગથી 10,057 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, જેમાં સિત્તેર ટકા દર્દીઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીનાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.