ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિશ્વની સૌથી મોટી પૂર્ણ લોકશાહીની છાતીમાં ખંજર ભોકતી ઘટનાને યાદ કરવામાં આવી હતી. જી હા આજથી 45 વર્ષ પહેલા સ્વતંત્ર ભારતમાં સૌથી પહેલીવાર લોકશાહીનું હહન કરતી ઘટના બની હતી.
વાત થઇ રહી છે 45 વર્ષ પહેલા દેશમાં લાગુ કરવામાં આવેલી ઇમર્જન્સીની. આજ તારીખે, 45 વર્ષ પહેલાં ભારતમાં ઇમર્જન્સી લાગુ કરવામાં આવી હતી. “એક પરિવારના સત્તાના લોભથી કટોકટી લાદવામાં આવી હતી. રાતોરાત રાષ્ટ્રને જેલમાં ફેરવવામાં આવ્યો. પ્રેસ, અદાલતો, મુક્ત ભાષણ… બધાંને ગોઠણીએ પાડી દેવામાં આવ્યા હતા. ગરીબ અને દબાયેલા લોકો પર અત્યાચાર કરવામાં આવતા આ વાક્યો છે દેશનાં ગૃહમંત્રી અમિત શાહનાં.
On this day, 45 years ago one family’s greed for power led to the imposition of the Emergency. Overnight the nation was turned into a prison. The press, courts, free speech…all were trampled over. Atrocities were committed on the poor and downtrodden: Home Minister Amit Shah pic.twitter.com/c0TBhSRPIH
— ANI (@ANI) June 25, 2020