કોરોનાનાં લાંબા કાળમુખા કાળ બાદ અમદાવાદ માટે છેલ્લા બે દિવસથી રાહત અને શુકુન આપતા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, અમદાવાદીઓ આનંદો…અમદાવાદમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટિવ કેસ અને મોતની સંખ્યા ઘટી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે 205 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા,તો આગળનાં દિવસે એટલે કે 23 જૂને 230 કેસ નોંધાયા હતા.
સતત બીજા દિવસે કેસો ઘટ્યા હોવાનાં શુભ સમાચાર સાથે છેલ્લા 2 દિવસથી ઓછા કેસ નોંધાતા તંત્રને પણ હાશકારો થયો હોવાનો એહસાસ થઇ રહ્યું છે. આપને જણાવી દઇએ કે, ગઇકાલે પશ્ચિમ અમદાવાદના 3 ઝોનમાં 119 કેસ સામે આવ્યા હતા. તો મધ્ય ઝોનમાં 12, દક્ષિણ ઝોનમાં 41 નવા કેસ નોંધવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
