આસામની જીવાદોરી સમી લોકમાતા બ્રહ્મપુત્રા જ હાહાકાર મચાવી કહેર વરસાવી રહી છે. આસામનાં 33 જિલ્લાઓમાં 25 જીલ્લામાં પૂરની ખપ્પર થપેટમાં જેવામાં આવે છે અને પૂરના કારણે અત્યાર સુધી 22 લોકોનાં મોત નીપજ્યાં છે. આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવતી માહિતી અનુસાર ગઇકાલે ડિબ્રુગઢમાં બે અને બરપેટા અને ગ્વાલપરા જિલ્લામાં એક-એક વ્યક્તિનાં મોત થયાં છે.
ધેમાજી, લખીમપુર, ઉદાલગીરી, ચિરંગ, દરંગ, નલબારી, બરપેટા, બોંગાઇગાં, કોકરાઝાર, ધુબરી, દક્ષિણ સલમારા, ગ્વાલપરા, કામરૂપ, કામરૂપ (મેટ્રો), મોરીગાંવ, હોજાઈ, નાગાંવ, ગોલાઘાટ, જોરહટ, માજુલી, શિવાસાગર, દિબરીગઢ પશ્ચિમના કરબી એંગલોંગ જિલ્લામાં પૂરનો ભોગ બન્યો છે.
ત્રણ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે તેનાથી બરપેટા સૌથી વધુ અસરગ્રસ્ત છે. દક્ષિણ સલમારામાં 1.95 લાખ, નલબારીમાં 1.17 લાખ અને મોરીગાંવ અને ધેમાજી જિલ્લામાં એક લાખ લોકો પૂરથી પીડિત છે. બ્રહ્મપુત્રા નદી ઘણા સ્થળોએ જોખમના ચિન્હથી ઉપર વહી રહી છે. તેની સહાયક નદીઓ પણ ત્રાસદાયક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….