CBSE દ્વારા કોરોનાનાં કપરા કાળ અને કોરોનાનાં કારણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં આવી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જી હા, CBSE દ્વારા ધોરણ 9 થી 12 નો પાઠ્યક્રમમાં ઘટાડવા કરવામાં આવ્યો છે.
કોરોનાને લઈને વિદ્યાર્થીઓનો ભાર ઘટાડવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે, ત્યારે બોર્ડના આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને રાહત મળશે અને તેમને કોરોના કાળમાં જે ભણતર સંબધીત નુકશાન થયુ છે તે રિકવર કરવામાં પણ આસાની રહેશે.
જો કે, બોર્ડ દ્વારા આ નિર્ણય લેતાં પહેલા હજારો શિક્ષણવિદની સલાહ પણ લેવાઈ હોવાની વિગતો વિદિત છે. આ મહત્વપૂર્ણ નિર્ણય વિશે CBSE બોર્ડ દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી છે.
#cbseforstudents #students #सीबीएसई ने विद्यार्थियों को बड़ी राहत दी; कक्षा 9वीं – 12वीं का पाठ्यक्रम घटाया गया pic.twitter.com/rg8m9wLfXZ
— CBSE HQ (@cbseindia29) July 7, 2020