કોરોના મહામારીની વચ્ચે IMAએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. IMAએ દેશભરમાં ડોક્ટરો પર ખતરો તોળાતો હોય તેવો અહેવાલ રજૂ કર્યો છે અને મેડિકસ અને પેરામેડિકલ સ્ટાફના આરોગ્યની ચિંતા કરતા આ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સમગ્ર દેશમાં 1302થી વઘુ ડોક્ટરો કોરોના પોઝિટીવનો શિકાર થઇ ચૂક્યા છે. 1302+ ડોક્ટરોમાંથી અધધધ 99 તબીબોનાં કોરોનાનાં કારણે સારવાર દરમિયાન મોત પણ નીપજ્યા હોવાનું નોંધવામાં આવે છે. જો મરણજનારા 99 ડોક્ટરોની વિગતો તપાસવામાં આવે તો 99 ડોક્ટરોમાં 35 વર્ષના 7, 35થી 50 વર્ષના 19 અને 50 વર્ષથી વધુની ઉંમરના 73 તબીબોના મોત થયા છે.
વિદિત વિગતો અને કોરોના મામલે પ્રસિધ્ધ બાબત કે, ઉમર લાયકો અને બાળકો પર કોરોના વઘુ ઘાતકી છે, તે અહીં પણ સુસંગત જણાય છે. તમામ ડેટાનુ પૃથ્થુકરણ કર્યા પછી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટરો પર ખતરો તોળાતો મામલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….