આખરે આ વર્ષનાં અંતમાં એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી -20 વર્લ્ડ કપને રદ કરવામાં આવ્યો હતો. જી હા, ક્રિકેટ ચાહકો માટે આચકા જનક સમાચાર સામે આવી રહ્યા છે. ટી -20 વર્લ્ડ કપને રદ થઇ ગયો છે, સોમવારે ટેલિકોનફરન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આની સાથે જ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) નું આયોજન કરવાની રીત વાત માટે હવાઓ તેજ થઇ ચૂકી છે.
કોરોના વાયરસને કારણે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારી આ વર્લ્ડ ટુર્નામેન્ટ પર પહેલાથી જ ભયનાં વાદળ છવાઈ ગયેલા હતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ ટી 20 વર્લ્ડ કપ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આખરે ઓસ્ટ્રેલિયાએ હાથ ઉંચા કર્યા
અગાઉ ઓસ્ટ્રેલિયાના રમત ગમત પ્રધાન રિચાર્ડ કોલબેકે કહ્યું હતું કે તેમનો દેશ ટી -20 વર્લ્ડ કપ માટે ટીમોની હોસ્ટિંગના પડકારને પાર કરી શકે છે, પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે ટૂર્નામેન્ટને દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં યોજવી કે કેમ?
તમને જણાવી દઇએ કે કોરોના વાયરસને કારણે પરિસ્થિતિને લીધે, આ વર્ષે, ટી 20 વર્લ્ડ કપનું ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ષકો સાથે આયોજન કરવું મુશ્કેલ હતું અને પ્રેક્ષકો વિના વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો કોઈ અર્થ નથી, તેથી તે રદ કરવામાં આવ્યું હતું ગયો
ICC MEN’S T20 WORLD CUP 2020 POSTPONED – For more details, please refer here: https://t.co/bqjPHt0pP6
— ICC Media (@ICCMediaComms) July 20, 2020
આઈસીસી મેન્સ વર્લ્ડ કપ વિંડો
આઇસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2021 ઓક્ટોબર-નવેમ્બર 2021 માં અને ફાઇનલ 14 નવેમ્બર 2021 ના રોજ યોજાશે.
આઇસીસી મેન્સ ટી -20 વર્લ્ડ કપ 2022 ઓક્ટોબર-નવેમ્બર 2022 ના રોજ થશે અને ફાઈનલ 13 નવેમ્બર 2022 ના રોજ યોજાશે.
આઇસીસી મેન્સ વર્લ્ડ કપ 2023 ઓક્ટોબર-નવેમ્બર 2023 માં ભારતમાં અને ફાઈનલ 26 નવેમ્બર 2023 ના રોજ યોજાશે.
આઈપીએલ ક્યારે હોઈ શકે?
ટી -20 વર્લ્ડ કપ 2020 ના મુલતવી રાખવાની સાથે હવે આઇપીએલનો રસ્તો સાફ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઈ 26 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર વચ્ચે આઈપીએલ સીઝન 13 યોજવાનું વિચારી રહ્યું છે. સંભવ છે કે બીસીસીઆઈ યુએઈમાં આઈપીએલ સીઝન 13 નું આયોજન કરી શકે.
શ્રીલંકા અને યુએઈ પહેલાથી જ બીસીસીઆઈની સામે આઈપીએલ સીઝન 13 યોજવાની દરખાસ્ત કરી ચૂકી છે. અત્યાર સુધી આઈપીએલને બે વખત ભારતની બહાર ખસેડવામાં આવ્યો છે. 2009 ની આઈપીએલ આવૃત્તિ લોકસભાની ચૂંટણીને કારણે દક્ષિણ આફ્રિકા ખસેડવામાં આવી હતી. આ પછી, યુએઈએ 2014 ની ચૂંટણી સમયે આઈપીએલના પહેલા બે અઠવાડિયા પણ યોજ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….