ભોજપુરી અભિનેત્રી અનુપમા પાઠકે આત્મહત્યા કરી છે. 40 વર્ષીય અભિનેત્રીએ 2 ઓગસ્ટે કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. અનુપમાની લાશ મુંબઈનાં દહિસર વિસ્તારમાં આવેલા તેમના ઘરે મળી હતી. તેમના મૃત્યુનાં એક દિવસ પહેલા, તેણે ફેસબુક લાઇવ દ્વારા આવા પગલાઓમાંથી પસાર થવાનું કારણ આપ્યું હતું. ફેસબુક લાઇવમાં, ભોજપુરી અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને હવે તે કોઈ પર વિશ્વાસ કરી શકશે નહીં.
અભિનેત્રી અનુપમા પાઠકે ફેસબુક લાઇવમાં કહ્યું હતું કે, ‘જો તમે કોઈને તમારી સમસ્યા જણાવો કે તમે જીવ આપવાનો વિચાર કરી રહ્યા છો, તો પછી કોઈ પણ પુરુષ ભલે તે કેટલો સારો મિત્ર હોય, તમને દૂર રહેવા કહેશે. જેથી તમે મરી ગયા પછી તે મુશ્કેલીમાં ન આવે. અને સાથે જ તે અન્ય લોકોની સામે તમારું અનાદર કરશે અને તમારી મજાક ઉડાવશે. તેથી તમારી સમસ્યાઓ ક્યારેય કોઈની સાથે વહેંચશો નહીં અને કોઈને પણ તમારો મિત્ર માનશો નહીં. અભિનેત્રીએ કહ્યું, ‘એક એવા પ્રકારનાં વ્યક્તિ બનો, જેના પર દરેક વિશ્વાસ કરે, પરંતુ કોઈનાં પર વિશ્વાસ ન કરો. મેં આ મારા જીવનમાં શીખ્યુ છે. લોકો ખૂબ જ મતલબી હોય છે, તેઓ કોઈની પણ પરવા કરતા નથી. જણાવી દઇએ કે, ભોજપુરી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી અનુપમા બિહારનાં પૂર્ણિયા જિલ્લાની રહેવાસી હતી. તે કામ કરવા માટે મુંબઈ રહેતી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસને સ્થળ પરથી એક સુસાઇડ નોટ મળી છે, જેમાં અભિનેત્રીએ મલાડમાં વિઝડમ પ્રોડ્યુસર્સ નામની કંપનીમાં 10 હજાર રૂપિયા રોકાણ કરવાનું કહ્યું છે. પૈસા પરત કરવાની છેલ્લી તારીખ ડિસેમ્બર 2019 હતી, પરંતુ તેમને હજી પૈસા પાછા મળ્યા નહોતા. અભિનેત્રીએ મનીષ ઝા નામનાં વ્યક્તિ પર આરોપ લગાવ્યો છે કે તે લોકડાઉન દરમિયાન તે તેના ટુ-વ્હીલરને વતન લઈ ગયો હતો, જે હજી પાછો આવ્યો નથી. હાલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
