કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સાવચેત રહી લડવાનું છે અને આ મંત્ર આપનાર ભારત સરકારનાં આરોગ્ય મંત્રાલય દ્વારા કોરોનાનાં કારણે થતો મોતમાં મામલે મહત્વની વિગતો આપવામાં આવી છે. જી હા, આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે સત્તાવાર અહેવાલો પ્રમાણે કોરોનાનાં કારણે થતા મોત ભારતમાં વિશ્વમાં સૌથી ઓછા છે.
કોરોનાનાં કારણે થતો મોતમાં ભારતનો કેસ મૃત્યુ દર (CFR) 1.76% છે. આ ટકાવારી વૈશ્વિક સ્તરે સૌથી નીચો છે. આપને જણાવી દઇએ કે, વૈશ્વિક CFR 3.3% છે. ભારતમાં મૃત્યું આંક પર મિલિયન જોવામાં આવે તો, વસ્તીનાં સંદર્ભમાં નોંધવામાં આવેલ મૃત્યુ આંક, 48/ મિલિયન હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે, જે વિશ્વમાં સૌથી નીચો છે. આપને જણાવી દઇએ કે, જ્યારે વૈશ્વિક સરેરાશ મૃત્યુ આંક 110/ મિલિયન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….