Not Set/ મુંબઇની નજીક અનુભવાયો 3.5 ની તીવ્રતાનો ભૂકંપ

  દેશમાં એક તરફ કોરોનાએ લોકોનાં જીવન હચમચાવી દીધુ છે ત્યારે દેશનાં અલગ-અલગ વિસ્તારમાં અનુભવાતો ભૂકંપ બીજી મુસિબત બન્યો છે. જણાવી દઇએ કે, મુંબઈની નજીક 3.5 ની તીવ્રતાનાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. આ માહિતી એનસીએસ દ્વારા આપવામાં આવી છે. મળી રહેલી માહિતી મુજબ, આ આંચકા મુંબઈથી લગભગ 102 કિ.મી.નાં અંતરે અનુભવાયા છે. હાલમાં, તેમાં કોઈ […]

Uncategorized
 

દેશમાં એક તરફ કોરોનાએ લોકોનાં જીવન હચમચાવી દીધુ છે ત્યારે દેશનાં અલગ-અલગ વિસ્તારમાં અનુભવાતો ભૂકંપ બીજી મુસિબત બન્યો છે. જણાવી દઇએ કે, મુંબઈની નજીક 3.5 ની તીવ્રતાનાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. આ માહિતી એનસીએસ દ્વારા આપવામાં આવી છે.

મળી રહેલી માહિતી મુજબ, આ આંચકા મુંબઈથી લગભગ 102 કિ.મી.નાં અંતરે અનુભવાયા છે. હાલમાં, તેમાં કોઈ જાન-માલનાં નુકસાનનાં સમાચાર નથી. નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા 6 મહિનામાં દેશનાં વિવિધ વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનેક વખત અનુભવાયા છે. દિલ્હી-એનસીઆરમાં જ સતત બે દિવસ આંચકા અનુભવાયા હતા. વૈજ્ઞાનિકો કહે છે કે હિમાલયન વિસ્તારમાં ધરતીકંપનો મોટો આંચકો આવે તેવી સંભાવનાઓ છે.


 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.