કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે મંગળવારે કહ્યું હતું કે, ભારત એક અનોખું સંસદીય લોકતંત્ર છે જ્યાં કોઈ સવાલ પૂછવામાં આવતા નથી અને કોઈ ચર્ચા થતી નથી. ચિદમ્બરમે આ ટીપ્પણી લદ્દાખને ભારત ચાઇના વિવાદનાં મુદ્દે લોકસભામાં પાર્ટીને ન બોલવા દીધા બાદ કરી હતી.
પૂર્વી લદ્દાખમાં ચીન સાથેની સરહદ પર ચાલી રહેલા વિવાદ પર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કરેલા નિવેદન બાદ કોંગ્રેસને બોલવાની મંજૂરી ન આપતા રોષે ભરાયેલા કોંગ્રેસનાં સભ્યોએ લોકસભા વોકઆઉટ કર્યુ અને સંસદ ભવન સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે એકત્ર થઇને વિરોધ-પ્રદર્શન કર્યુ. ચિદમ્બરમ એ ટ્વીટ કર્યું, “આજે ભારત એક અનોખું સંસદીય લોકશાહી છે જ્યાં કોઈ સવાલ પૂછાતા નથી અને જ્યાં ચર્ચાને મંજૂરી નથી.”
भारत आज एक अनोखी अर्थव्यवस्था है जहाँ जीडीपी के 1.7 प्रतिशत तक नकद या अनाज हस्तांतरण को ‘पर्याप्त राजकोषीय प्रोत्साहन’ माना जाता है।
भारत आज एक चमत्कारिक राष्ट्र है, जहाँ 3 महीने में ‘सबसे तेजी से बढ़ती अर्थव्यवस्था’ से ‘सबसे तेजी से डूबती विकास’ वाली अर्थव्यवस्था में बदल गई है।
— P. Chidambaram (@PChidambaram_IN) September 15, 2020
તેમણે લોકડાઉન દરમિયાન જીવ ગુમાવનારા પરપ્રાંતિયોનો આંક ઉપલબ્ધ નથી હોવાના કેન્દ્ર સરકારનાં નિવેદન પર પણ હુમલો કર્યો હતો, વરિષ્ઠ નેતાએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કહ્યું, “આજે ભારત એક અનોખો દેશ છે જ્યાં લાંબા અંતર નક્કી કરીને પોતાના ઘરે જતા પ્રવાસીઓની મોત કે ઘર પહોંચવા બાદ થયેલી મોતનો કોઇ આંક ઉપલબ્ધ નથી.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
